February 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્‍યાખ્‍યાન, ટ્રેનિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.02: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ:૦૧/૧૦/૨૦૨૪ મંગલવારના રોજ “CPR Essentials: Life-Saving Techniques and Health Management” ના વિષય ઉપર વ્યાખ્યાન અને ટ્રેનિંગનું આયોજન થયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે વાપીની મિલેનીયમ ક્લિનિકના પ્લાસ્ટિક સર્જન ડૉ. કવિતા અગરવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વાપીની મિલેનીયમ ક્લિનિકના ડૉ. અનંત અગ્રવાલ અને ચીફ ગેસ્ટ તરીકે માં જનમ ચેરીટેબલ ટ્રસ્ટ ના મેમ્બર શ્રી અરુણ ભંડારી, રેખા મેમ અને એમની સાથે ટ્રેનર સ્ટાફ હેમાલીબેન, અશ્વિનભાઈ અને સુરેખા સિસ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનું આયોજન કો-ઓર્ડીનેટર એમ. ફર્મના ફાર્માસ્યુટિકસ ડીપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ ના હેઠળ થયુ હતું.
આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજીએ આજના યુગમાં કાર્ડિયોપલ્મોનરી એસેસમેન્ટ આ એક કટોકટી જીવન બચાવવાની પ્રક્રિયા છે, જે ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિના શ્વાસ અથવા ધબકારા બંધ થઈ જાય છે. રોજિંદા જીવનમાં આ તકનીકનું જ્ઞાન હોવું ખુબજ જરૂરી છે તે વિશે સમજાવી કાર્યક્રમનો આરંભ કર્યો હતો. આ કાર્યક્રમનું એન્કરીંગ એમ. ફાર્મસીની વિદ્યાર્થીની નિશા ગાંધીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ.કવિતા અગરવાલ લાઇફસેવર સીપીઆર અને પર્સનલ હેલ્થ મેનેજમેન્ટ વિશે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સરળ ભાષામાં સમજાવીને ટ્રેનિંગ આપી હતી. આ ટ્રેનીગ ની તાર્કિક સમજ આપણે જરૂરિયાત મંદને કટોકટીના સમયે મન, વાચા અને કર્મ થી યોગ્ય જવાબદારી નિભાવી જીવન બચાવવા માટે મદદ કરવી જોઈએ. આ કૌશલ્ય દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કારણ કે ૯૦% લોકો હાલના તબક્કે કાર્ડિયક અર્રેસ્ત બીમારીથી પીડાઈ રહ્યા છે. જેમાથી માત્ર ૪૬% લોકોને આજના સમયમાં મદદ મળે છે. તથા આ સ્કિલ ટેકનિક્સના જ્ઞાનથી આપણે આપણા કુટુંબ અને અન્ય લોકોનું જીવન કેવી રીતે બચાવીને યોગદાન આપી સમાજને મદદ કરી શકીએ એ બાબતે માહિતી આપી હતી.
કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે જણાવ્યું કે CPR (cardiopulmonary resuscitation) મહત્ત્વપૂર્ણ ટેક્નિક છે જેનું જ્ઞાન મુશ્કેલી ના સમયમાં દર્દીનો જીવ કેવી રીતે બચાવી શકાય એ સમજાવી આભારવિધિ પૂર્ણ કરી હતી.
આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આજે દમણ અને સેલવાસની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે લેમ્‍પ લાઈટીંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમની યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી ખાતે નિર્માણ પામી રહેલા રાજ નિવાસનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર સિદ્ધાર્થ પટેલ

vartmanpravah

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment