April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ગુરુકુળમાં સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ડો.કે.સી. પટેલ સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી વિસ્‍તારમાં વસતાબ્રહ્મ સમાજના પરિવારોનો સ્‍નેહમિલન સમારોહ સલવાવ સ્‍વામિનારાયણ ગુરુકુળમાં રવિવારના રોજ યોજાયો હતો. જેમાં બ્રહ્મ સમાજ સંગઠનના હોદ્દેદારો, કમિટી મેમ્‍બર, સહિત પરિવારો ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રતિ વર્ષે બ્રહ્મ સમાજ વાપી વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહનું આયોજન કરે છે. આ વર્ષ સલવાવ ગુરુકુળમાં સ્‍નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં વિશેષ અતિથિઓ તરીકે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો.કે.સી. પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. સમાજ તરફથી વાપીના સેવાભાવિ કાર્યકર વાપી સોશ્‍યિલ ગૃપ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી કિરણ રાવલનું બ્રહ્મ સમાજ તરફથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેઓ છેલ્લા પાંચ વર્ષથી નિઃસ્‍વાર્થ સમાજ સેવી કામગીરી બજાવી રહ્યા છે. સન્‍માન બદલ શ્રી રાવલે સંસ્‍થાનો આભાર માન્‍યો હતો. કાર્યક્રમનો પ્રારંભ સમાજના બાળકોના સ્‍વાગત ગીતથી કરવામાં આવ્‍યો હતો. સમારોહમાં સાજના વિકાસ અને સંગઠનની રૂપરેખા ઉપર સંવાદ કરવામાં આવ્‍યો હતો. પૂર્વ વી.આઈ.એ. પ્રમુખ અશોકભાઈ શુકલા તથા ઉદ્યોગપતિ મહેશભાઈ ભટ્ટ જેવા સમાજના અગ્રણીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

Leave a Comment