April 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મૃતકોને અંતિમ ધામની નિઃશુલ્‍ક સેવા આપતી મોક્ષધામ રથ સમિતિએ ફરી રથ કાર્યરત કર્યો

6 હજારથી વધુ મૃતકોને અંતિમધામ પહોંચાડી માનવતાનું કાર્ય કર્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીમાં વર્ષ 2012માં સર્વ ધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિની રચના કરવામાં આવી હતી. નિઃશુલ્‍ક ચાલતી આ સેવા 15 દિવસથી બંધ હતી. ગાંધી જયંતીથી ફરી કાર્યરત કરવામાં આવી છે.મોક્ષરથની મરામત કામગીરી આવી હતી તેથી સેવા બંધ કરાઈ હતી.
સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિના ટ્રસ્‍ટી પ્રમુખ વિઠ્ઠલ કોટડીયાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, વર્ષ 2012 થી મોક્ષ રથ સેવા અવિરત ચાલી રહી છે. અત્‍યાર સુધી 6000 ઉપરાંત મૃતદેહો અંતિમ ધામ સુધી પહોંચાડાઈ છે. વાપી વિસ્‍તારમાં ચાલતી મોક્ષ રથની સેવા કોરોના કાળમાં પણ અવિરત ચાલુ હતી. મોક્ષ રથના સારથી શાંતિભાઈએ એક પણ દિવસની રજા લીધી નથી. મોક્ષ રથની જેને પણ જરૂરીયાત પડે તે માટે હેલ્‍પ લાઈન નં.8140334000 આપવામાં આવ્‍યો છે. અન્‍ય ટ્રસ્‍ટીઓ વી.એસ. કોટડીયા, ભાનુભાઈ કે ચાંગલા, અનિલભાઈ અવિરત સેવા આપી રહ્યા છે.

Related posts

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું દમણ જિલ્લા ભાજપે કરેલું સ્‍વાગત

vartmanpravah

પારડી પોલીસે ચોરીના ડીઝલ સાથે ચાર આરોપીઓની કરી ધરપકડ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા શાળાના બાળકો માટે વોલ પેઈન્‍ટિંગ કોમ્‍પિટિશનનું આયોજન : સેંકડો બાળકો જોડાયા

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment