October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મૃતકોને અંતિમ ધામની નિઃશુલ્‍ક સેવા આપતી મોક્ષધામ રથ સમિતિએ ફરી રથ કાર્યરત કર્યો

6 હજારથી વધુ મૃતકોને અંતિમધામ પહોંચાડી માનવતાનું કાર્ય કર્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીમાં વર્ષ 2012માં સર્વ ધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિની રચના કરવામાં આવી હતી. નિઃશુલ્‍ક ચાલતી આ સેવા 15 દિવસથી બંધ હતી. ગાંધી જયંતીથી ફરી કાર્યરત કરવામાં આવી છે.મોક્ષરથની મરામત કામગીરી આવી હતી તેથી સેવા બંધ કરાઈ હતી.
સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિના ટ્રસ્‍ટી પ્રમુખ વિઠ્ઠલ કોટડીયાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, વર્ષ 2012 થી મોક્ષ રથ સેવા અવિરત ચાલી રહી છે. અત્‍યાર સુધી 6000 ઉપરાંત મૃતદેહો અંતિમ ધામ સુધી પહોંચાડાઈ છે. વાપી વિસ્‍તારમાં ચાલતી મોક્ષ રથની સેવા કોરોના કાળમાં પણ અવિરત ચાલુ હતી. મોક્ષ રથના સારથી શાંતિભાઈએ એક પણ દિવસની રજા લીધી નથી. મોક્ષ રથની જેને પણ જરૂરીયાત પડે તે માટે હેલ્‍પ લાઈન નં.8140334000 આપવામાં આવ્‍યો છે. અન્‍ય ટ્રસ્‍ટીઓ વી.એસ. કોટડીયા, ભાનુભાઈ કે ચાંગલા, અનિલભાઈ અવિરત સેવા આપી રહ્યા છે.

Related posts

વાપી હની ટ્રેપ પ્રકરણમાં લલીત સોનીની ધરપકડ : મહિલા સાથે મળીને અંગત પળોનો વિડીયો બનાવી 5 લાખની માંગણી કરી હતી

vartmanpravah

વાપી કે.બી.એસ. નટરાજ કોલેજના ખેલાડી ઓલ ઈન્‍ડિયા ઈન્‍ટર યુનિવર્સિટી ચેમ્‍પિયનશિપ માટે પસંદ થયા

vartmanpravah

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્‍તે ઉનાઈથી શરૂ થશે ગુજરાત ગૌરવ યાત્રા

vartmanpravah

વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયો

vartmanpravah

Leave a Comment