Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના ઉદ્યોગપતિઓએ કેન્‍દ્રીય વાહન વ્‍યવહાર મંત્રી ગડકરીને હાઈવેની દુર્દશા માટે પત્ર લખ્‍યો

હાઈવે નં.48 ઉપરનો ઈન્‍ડસ્‍ટ્રીયલ કોરીડોર પ્રભાવિત થયો છે :
આર.સી.સી. રોડો ઉપર પણ ખાડા પડી ગયા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વર્તમાન ચોમાસાએ નેશનલ હાઈવે નં.48 ની માઠી દુર્દશા કરી નાખી છે. જેનાથી ઉદ્યોગ જગત ઉપર માઠી અસર પડી છે. વાપી ઉદ્યોગપતિઓએ વાહન વ્‍યવહાર મંત્રી નિતિન ગડકરીને હાઈવેની દુર્દશા અંગે લેખિત રજૂઆત કરી છે. ભાજપના મતદારોનો મિજાજ બદલાય તે પહેલાં હાઈવે નં.48ની દશામાં સુધારો કરવા ગંભીર રજૂઆત કરાઈ છે.
દેશના જી.ડી.પી.માં મુંબઈ-દિલ્‍હી ઈન્‍ડસ્‍ટ્રીયલ કોરીડોરનો મહત્ત્વનો ફાળો છે. ગોલ્‍ડન કોરીડોર ગણાતા આ રૂટમાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે. આ વિસ્‍તારમાંથી પસાર થતા ને.હા.નં.48 દુર્દશાગ્રસ્‍ત છે જેની માઠી અસર ઉદ્યોગો ઉપર પડી રહી છે. વાપી થી મુંબઈ પહોંચતા પહેલાં 4 કલાકનો સમય લાગતો હતો. અત્‍યારે 8કલાકે પણ પહોંચી શકાતું નથી. ઉદ્યોગો સાથે ટ્રાન્‍સપોર્ટેશન ઉદ્યોગ પણ પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરી રહેલ છે. વાપીના ઉદ્યોગપતિ મહેશ પંડયા તેમજ મુંબઈમાં રહેતા ઉદ્યોગપતિ પારડી, ઉમરસાડીના રાજેન્‍દ્ર દેસાઈએ કેન્‍દ્રીય મંત્રી નિતિન ગડકરીને પત્ર લખ્‍યો છે. ઈ-મેઈલ દ્વારા લખાયેલ પત્રમાં વાહન ચાલકોની હાડમારી ઉજાગર કરાઈ છે. નેશનલ હાઈવે ગુણવત્તા યુક્‍ત ઝડપી રોડ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર બને તેવી રજૂઆત કરાઈ છે. વડાપ્રધાનનું આર્થિક મહાસત્તા બનવાનું સ્‍વપ્‍ન હાઈવેને કારણે રોળાઈ રહેલું જણાય છે. ખરાબ હાઈવેને લઈ ખાસ કરીને કન્‍ટેનર-ટ્રક-ટેન્‍કર ચાલકો ભારે મહામારી ભોગવી રહ્યા છે. દેશના કિંમતી ઈંધણનો પણ વેડફાટ થઈ રહ્યો છે. તેઓએ પત્રમાં વધુમાં જણાવ્‍યું હતું કે, સૂર્ય આથમતા જ ટ્રાફિકનું મેનેજમેન્‍ટ ક્‍યાંય જોવા મળતું નથી.

Related posts

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

દમણના રામસેતૂ બીચ ઉપર રિઝર્વ બટાલિયનની તિરંગા રેલીના ભારતમાતા કી જય અને વંદે માતરમ્‌ના જયઘોષથી ગુંજી ઉઠેલો વિસ્‍તાર

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં હવે જાહેર જનતા માટે ઉદ્યાન, પાર્ક વગેરે પણ ખુલી રહ્ના છે અને પ્રદેશના બીચ અને બીચ રોડ વીક ઍન્ડ શનિ-રવિ અને જાહેર રજાને છોડતાં બાકીના તમામ દિવસોઍ ખુલ્લા રહેશે.

vartmanpravah

દાનહના વાસોણા ગામેથી મળેલી લાશ યુવાનની નીકળી

vartmanpravah

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

Leave a Comment