April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10 : ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ (મહાત્‍મા ગાંધી નરેગા) હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં આગામી તા.14મી ઓક્‍ટોબરના રોજ દરેક ગ્રામ પંચાયતોમાં ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરવામાં આવનાર હોવાની માહિતી દાનહ જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે તા.14મી ઓક્‍ટોબરના રોજ દાદરા નગર હવેલીના તમામ ગ્રામ પંચાયતોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે અને આજ પ્રમાણે દર મહિનાના બીજા સોમવારે પણ દરેક ગ્રામ પંચાયતોમાં ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહાત્‍મા ગાંધી નરેગા હેઠળ ગ્રામીણ વિસ્‍તારના લોકોને આત્‍મનિર્ભર બનવામાં મદદરૂપ સરકારની વિવિધયોજનાઓ અને સેવાઓ અંગે વિસ્‍તૃત માહિતી આપવામાં આવશે. દરમિયાન નવા લાભાર્થીઓની નોંધણી માટેની અરજીઓ પણ સ્‍વીકારવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે તે ગ્રામ પંચાયત સભ્‍યો, કામદારો અને સ્‍થાનિક નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

ચીખલીના મજીગામમાં પરિવાર મુંબઈ જતા તસ્‍કરોએ રાત્રે ઘરમાં ઘૂસી રોકડ તથા દાગીના મળી રૂા.1.10 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

દીવ ઘોઘલામાં લગ્ન પ્રસંગમાં રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસ અને જાહેર જનતા વચ્‍ચે દલીલ થઈ

vartmanpravah

ગાંધીનગર બે દિવસીય બે દિવસીય રાષ્‍ટ્રીય મેયર્સ કોન્‍ફરન્‍સમાં સેલવાસ, દમણ અને દીવ ન.પા.ના પ્રમુખો અને ઉપ પ્રમુખોએ લીધેલો ભાગ

vartmanpravah

વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર પાસે રોડ ઉપર રાતોરાત બમ્‍પર બનાવી દેતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો

vartmanpravah

Leave a Comment