January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10 : ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ (મહાત્‍મા ગાંધી નરેગા) હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં આગામી તા.14મી ઓક્‍ટોબરના રોજ દરેક ગ્રામ પંચાયતોમાં ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરવામાં આવનાર હોવાની માહિતી દાનહ જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે તા.14મી ઓક્‍ટોબરના રોજ દાદરા નગર હવેલીના તમામ ગ્રામ પંચાયતોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે અને આજ પ્રમાણે દર મહિનાના બીજા સોમવારે પણ દરેક ગ્રામ પંચાયતોમાં ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહાત્‍મા ગાંધી નરેગા હેઠળ ગ્રામીણ વિસ્‍તારના લોકોને આત્‍મનિર્ભર બનવામાં મદદરૂપ સરકારની વિવિધયોજનાઓ અને સેવાઓ અંગે વિસ્‍તૃત માહિતી આપવામાં આવશે. દરમિયાન નવા લાભાર્થીઓની નોંધણી માટેની અરજીઓ પણ સ્‍વીકારવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે તે ગ્રામ પંચાયત સભ્‍યો, કામદારો અને સ્‍થાનિક નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related posts

ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ભૂકંપનાઆંચકા અનુભવાયા

vartmanpravah

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સમક્ષ મચ્‍છીમારી બોટો માટે સબસીડીના દર ઉપર ડિઝલ પુરવઠો આપવા કરેલી રજૂઆત

vartmanpravah

કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝના સંસ્‍થાપક કનૈયાલાલ જૈનના જન્‍મદિવસ નિમિતે સીલી સ્‍થિત કંપનીના યુનિટ-2ના પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ: 215 યુનિટ એકત્ર કરાયેલું રક્‍ત

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

Leave a Comment