September 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10 : ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ (મહાત્‍મા ગાંધી નરેગા) હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં આગામી તા.14મી ઓક્‍ટોબરના રોજ દરેક ગ્રામ પંચાયતોમાં ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરવામાં આવનાર હોવાની માહિતી દાનહ જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે તા.14મી ઓક્‍ટોબરના રોજ દાદરા નગર હવેલીના તમામ ગ્રામ પંચાયતોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે અને આજ પ્રમાણે દર મહિનાના બીજા સોમવારે પણ દરેક ગ્રામ પંચાયતોમાં ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહાત્‍મા ગાંધી નરેગા હેઠળ ગ્રામીણ વિસ્‍તારના લોકોને આત્‍મનિર્ભર બનવામાં મદદરૂપ સરકારની વિવિધયોજનાઓ અને સેવાઓ અંગે વિસ્‍તૃત માહિતી આપવામાં આવશે. દરમિયાન નવા લાભાર્થીઓની નોંધણી માટેની અરજીઓ પણ સ્‍વીકારવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે તે ગ્રામ પંચાયત સભ્‍યો, કામદારો અને સ્‍થાનિક નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related posts

ચીખલી તાલુકાના વંકાલમાં સ્‍પંદન હોસ્‍પિટલ દ્વારા ફિઝિયો થેરાપી હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજવામાં આવ્‍યો

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah

સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

Leave a Comment