June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10 : ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ (મહાત્‍મા ગાંધી નરેગા) હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં આગામી તા.14મી ઓક્‍ટોબરના રોજ દરેક ગ્રામ પંચાયતોમાં ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરવામાં આવનાર હોવાની માહિતી દાનહ જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે તા.14મી ઓક્‍ટોબરના રોજ દાદરા નગર હવેલીના તમામ ગ્રામ પંચાયતોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે અને આજ પ્રમાણે દર મહિનાના બીજા સોમવારે પણ દરેક ગ્રામ પંચાયતોમાં ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહાત્‍મા ગાંધી નરેગા હેઠળ ગ્રામીણ વિસ્‍તારના લોકોને આત્‍મનિર્ભર બનવામાં મદદરૂપ સરકારની વિવિધયોજનાઓ અને સેવાઓ અંગે વિસ્‍તૃત માહિતી આપવામાં આવશે. દરમિયાન નવા લાભાર્થીઓની નોંધણી માટેની અરજીઓ પણ સ્‍વીકારવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે તે ગ્રામ પંચાયત સભ્‍યો, કામદારો અને સ્‍થાનિક નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related posts

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હાસ્‍પિટલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

Leave a Comment