July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દર વર્ષે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિવિધ સ્‍તરે કલા ઉત્‍સવ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેની કડીમાં વિવિધ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિકશાળાના વિદ્યાર્થીઓ માટે ‘‘કલા ઉત્‍સવ-2024”ની જિલ્લા કક્ષાની સ્‍પર્ધાનું આયોજન દાદરા નગર હવેલી જિલ્લાની માધ્‍યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સેલવાસ ખાતેના કલા કેન્‍દ્રના ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્‍યું હતું.
‘‘વિકસિત ભારત”ની મુખ્‍ય થીમ પર આધારિત બે દિવસીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં, દાનહ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થી કલાકારોએ સંગીત, નૃત્‍ય, નાટક, વાર્તાઓ અને દ્રશ્‍ય કલા જેવી વિવિધ સ્‍પર્ધાઓમાં તેમની કલાત્‍મક પ્રતિભા દર્શાવી હતી. કલા ઉત્‍સવ સ્‍પર્ધાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓની સહજ કલાત્‍મક પ્રતિભાને પ્રોત્‍સાહન આપવાનો છે.
જિલ્લા કક્ષાની ‘‘કલા ઉત્‍સવ” સ્‍પર્ધામાં વિજેતા કલાકારોને મદદનીશ શિક્ષણ નિયામક શ્રી પરિતોષ શુક્‍લ અને શિક્ષણ અધિકારી શ્રી રાજેન્‍દ્ર મોહિલેના હસ્‍તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા.
મદદનીશ શિક્ષણ નિયામક શ્રીએ જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવની સ્‍પર્ધામાં વિજેતા કલાકારોને સંઘ પ્રદેશ સ્‍તરીય સ્‍પર્ધા માટે શુભકામના આપી હતી. જિલ્લા કક્ષાની કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં વિજેતા કલાકાર હવે સંઘપ્રદેશ કક્ષાએ યોજાનાર કલા ઉત્‍સવની સ્‍પર્ધામાં ભાગ લેશે. જેમાં શ્રેષ્‍ઠ પ્રદર્શન કરનાર કલાકારોને રાષ્‍ટ્રીય કક્ષાએ આયોજીત થનારી કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં ભાગ લેવાનો અવસર મળશે. દાનહ જિલ્લા કક્ષાનીકલા સ્‍પર્ધાનું આયોજન શિક્ષણ સચિવ અને શિક્ષણ નિયામકશ્રીના સફળ માર્ગદર્શનમાં કરાયું હતું.

Related posts

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

vartmanpravah

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

ચીખલીના સમરોલીના વ્‍યાક્‍તિ પાસે વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરનાર ખૂંધના શખ્‍સ સામે પોલીસે ગુનો નોંધ્‍યો

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

vartmanpravah

Leave a Comment