October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દર વર્ષે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિવિધ સ્‍તરે કલા ઉત્‍સવ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેની કડીમાં વિવિધ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિકશાળાના વિદ્યાર્થીઓ માટે ‘‘કલા ઉત્‍સવ-2024”ની જિલ્લા કક્ષાની સ્‍પર્ધાનું આયોજન દાદરા નગર હવેલી જિલ્લાની માધ્‍યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સેલવાસ ખાતેના કલા કેન્‍દ્રના ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્‍યું હતું.
‘‘વિકસિત ભારત”ની મુખ્‍ય થીમ પર આધારિત બે દિવસીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં, દાનહ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થી કલાકારોએ સંગીત, નૃત્‍ય, નાટક, વાર્તાઓ અને દ્રશ્‍ય કલા જેવી વિવિધ સ્‍પર્ધાઓમાં તેમની કલાત્‍મક પ્રતિભા દર્શાવી હતી. કલા ઉત્‍સવ સ્‍પર્ધાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓની સહજ કલાત્‍મક પ્રતિભાને પ્રોત્‍સાહન આપવાનો છે.
જિલ્લા કક્ષાની ‘‘કલા ઉત્‍સવ” સ્‍પર્ધામાં વિજેતા કલાકારોને મદદનીશ શિક્ષણ નિયામક શ્રી પરિતોષ શુક્‍લ અને શિક્ષણ અધિકારી શ્રી રાજેન્‍દ્ર મોહિલેના હસ્‍તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા.
મદદનીશ શિક્ષણ નિયામક શ્રીએ જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવની સ્‍પર્ધામાં વિજેતા કલાકારોને સંઘ પ્રદેશ સ્‍તરીય સ્‍પર્ધા માટે શુભકામના આપી હતી. જિલ્લા કક્ષાની કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં વિજેતા કલાકાર હવે સંઘપ્રદેશ કક્ષાએ યોજાનાર કલા ઉત્‍સવની સ્‍પર્ધામાં ભાગ લેશે. જેમાં શ્રેષ્‍ઠ પ્રદર્શન કરનાર કલાકારોને રાષ્‍ટ્રીય કક્ષાએ આયોજીત થનારી કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં ભાગ લેવાનો અવસર મળશે. દાનહ જિલ્લા કક્ષાનીકલા સ્‍પર્ધાનું આયોજન શિક્ષણ સચિવ અને શિક્ષણ નિયામકશ્રીના સફળ માર્ગદર્શનમાં કરાયું હતું.

Related posts

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં નિર્માણ થયેલા ગેરકાયદેસર વાણિજ્‍ય બાંધકામો સામે આવનારી આફત

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

સેલવાસની પરિણીતાએ દમણગંગા નદીમા આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો: એક યુવાને નદીમા કુદી યુવતિનો જીવ બચાવ્‍યો

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment