March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટના અંગદાન અભિયાનમાં ગત ઓગસ્‍ટમાં વિજયભાઈએ દેહદાનનું સંકલ્‍પપત્ર ભર્યુ હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: દેહદાન જેવુ જગતમાં કોઈ મોટુ દાન નથી. વલસાડનું ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટ છેલ્લા 15 વર્ષથી દેહદાન-ચક્ષુદાનનું અભિયાન ચલાવી રહેલ છે. પારડી તાલુકામાં રહેતા અને ઓરિએન્‍ટલ ઈન્‍સોયરન્‍સ કંપનીમાં 38 વર્ષ ફરજ બજાવી નિવૃત્તિ જીવન જીવતા વિજયભાઈ શાહએ દેહદાન અભિયાનથી પ્રેરાઈને ગત ઓગસ્‍ટ 2022માં દેહદાન કરવાનું ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટમાં સંકલ્‍પપત્ર ભરીને અંતિમ ઈચ્‍છા જાહેર કરી હતી. તે મુજબ આજે સોમવારે વિજયભાઈ શાહનું મૃત્‍યુ થતા પરિવારે તેમનું દેહદાન અને ચક્ષુદાન કરી તેમની અંતિમ ઈચ્‍છા પુરી કરી માનવતા ભરી કામગીરીનો દિપક પ્રગટાવ્‍યો હતો.
શાહપરિવારના પુત્ર ભાવિનભાઈ શાહ અને જમાઈ ઉત્‍સવભાઈએ પિતા વિજયભાઈના આજે થયેલા મૃત્‍યુ બાદ તેમની અંતિમ ઈચ્‍છા પુરી કરી હતી. ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટ ગ્રુપના પ્રમુખનો સંપર્ક કરી વિજયભાઈની અંતિમ ઈચ્‍છા મુજબ એન.આર.સી. હોસ્‍પિટલનો ઉમિયા સોશ્‍યિલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈએ સંપર્ક કર્યો હતો. બે વ્‍યક્‍તિ માટે નેત્ર દાન કર્યું હતું તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી બનવા વલસાડ સિવિલ હોસ્‍પિટલને દેહદાન કર્યું હતું. બે નેત્રહિન વ્‍યક્‍તિઓને નવી રોશની મળી હતી. વિજયભાઈ શાહના પરિવારે પરિવારના મોભીની અંતિમ ઈચ્‍છા પૂર્ણ કરી હતી.

Related posts

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

vartmanpravah

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને આત્‍મનિર્ભર બનવા દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં નાયલાપારડી ખાતે પ્રશાસનની ‘ગીર ગાય યોજના’ની આપવામાં આવેલી સમજ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

Leave a Comment