April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટના અંગદાન અભિયાનમાં ગત ઓગસ્‍ટમાં વિજયભાઈએ દેહદાનનું સંકલ્‍પપત્ર ભર્યુ હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: દેહદાન જેવુ જગતમાં કોઈ મોટુ દાન નથી. વલસાડનું ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટ છેલ્લા 15 વર્ષથી દેહદાન-ચક્ષુદાનનું અભિયાન ચલાવી રહેલ છે. પારડી તાલુકામાં રહેતા અને ઓરિએન્‍ટલ ઈન્‍સોયરન્‍સ કંપનીમાં 38 વર્ષ ફરજ બજાવી નિવૃત્તિ જીવન જીવતા વિજયભાઈ શાહએ દેહદાન અભિયાનથી પ્રેરાઈને ગત ઓગસ્‍ટ 2022માં દેહદાન કરવાનું ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટમાં સંકલ્‍પપત્ર ભરીને અંતિમ ઈચ્‍છા જાહેર કરી હતી. તે મુજબ આજે સોમવારે વિજયભાઈ શાહનું મૃત્‍યુ થતા પરિવારે તેમનું દેહદાન અને ચક્ષુદાન કરી તેમની અંતિમ ઈચ્‍છા પુરી કરી માનવતા ભરી કામગીરીનો દિપક પ્રગટાવ્‍યો હતો.
શાહપરિવારના પુત્ર ભાવિનભાઈ શાહ અને જમાઈ ઉત્‍સવભાઈએ પિતા વિજયભાઈના આજે થયેલા મૃત્‍યુ બાદ તેમની અંતિમ ઈચ્‍છા પુરી કરી હતી. ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટ ગ્રુપના પ્રમુખનો સંપર્ક કરી વિજયભાઈની અંતિમ ઈચ્‍છા મુજબ એન.આર.સી. હોસ્‍પિટલનો ઉમિયા સોશ્‍યિલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈએ સંપર્ક કર્યો હતો. બે વ્‍યક્‍તિ માટે નેત્ર દાન કર્યું હતું તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી બનવા વલસાડ સિવિલ હોસ્‍પિટલને દેહદાન કર્યું હતું. બે નેત્રહિન વ્‍યક્‍તિઓને નવી રોશની મળી હતી. વિજયભાઈ શાહના પરિવારે પરિવારના મોભીની અંતિમ ઈચ્‍છા પૂર્ણ કરી હતી.

Related posts

મરવડની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના ઉચ્‍ચ અને ટેક્‍નિકલ શિક્ષણ નિર્દેશક શિવમ તેવટિયાએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah

દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્‍વાગત

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

vartmanpravah

આછવણી પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા મલ્લિકાર્જુન જ્‍યોતિર્લીંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment