અઢી દિવસના ગણપતિ મહોત્સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે ભક્તિમય બનેલો સમગ્ર માહોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવનું ગઈકાલે રવિવારના દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. અઢી દિવસના ગણપતિ મહોત્સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી શર્મિલા પરમાર, પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ દમણિયા, કોષાધ્યક્ષ શ્રી પ્રિતમ રાઠોડ, મહામંત્રી શ્રી જેસલ પરમાર તેમજ વડીલો અને યુવાનોની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા તન મન અને ધનથી પ્રયાસ કર્યા હતા.