January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડું, ખાડી ફળિયા ખાતે રહેતા ચંદ્રકલાબેનઅશોકભાઈ પવાર તા.14/5/2022ના રોજ નાના દીકરા વિજય પવારના ઘરે ગયા હતા. જ્‍યાં તેમના વહુ ગંગાબેન સાથે દૂધ બાબતે સમાન્‍ય બોલાચાલી થતા એ જ દિવસે સાંજે 4.30 વાગ્‍યે તેમના મોટા દીકરા રવિ પવારને ત્‍યાં જતા રહ્યાં હતા. ત્‍યાંથી તા.12-05-2022ના રોજ સવારે 8.00 વગ્‍યાના સુમારે રિક્ષામાં બેસી કયાંક જતા રહ્યા છે. જેમનો ફોન પણ બંધ છે. જેઓ આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ઉંમર 44 વર્ષ, ઊંચાઇ 5 ફૂટ, રંગે ઘંઉવર્ણ તથા મધ્‍યમ બાંધો છે. જેમને કેન્‍સરની બીમારી હોવાથી જીભ કાપી નાખેલી છે. તેમણે પીળા તથા ગુલાબી કલરની સાડી તથા ગળાના ભાગે બ્‍લુ કલરનો દુપટ્ટો પહેરેલો છે. જે ગુજરાતીતથા મરાઠી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઈને ભાળ મળે તો ભીલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડી શહેરમાં ગાંજાનો જથ્‍થો પહોંચાડનાર વોન્‍ટેડ આરોપીને ઝડપતી વલસાડ એસઓજી

vartmanpravah

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

vartmanpravah

દાદરા નગર હવેલી ગવર્નમેન્‍ટ એમ્‍પ્‍લોઇઝ મ્‍યુચ્‍યુઅલ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

vartmanpravah

શાળા પ્રવેશોત્‍સવ અને ઉત્‍કૃષ્‍ટ શૈક્ષણિક પર્યાવરણની અસરથી સંઘપ્રદેશમાં હવે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળી રહેલા વિદ્યાર્થીઓઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

Leave a Comment