Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડું, ખાડી ફળિયા ખાતે રહેતા ચંદ્રકલાબેનઅશોકભાઈ પવાર તા.14/5/2022ના રોજ નાના દીકરા વિજય પવારના ઘરે ગયા હતા. જ્‍યાં તેમના વહુ ગંગાબેન સાથે દૂધ બાબતે સમાન્‍ય બોલાચાલી થતા એ જ દિવસે સાંજે 4.30 વાગ્‍યે તેમના મોટા દીકરા રવિ પવારને ત્‍યાં જતા રહ્યાં હતા. ત્‍યાંથી તા.12-05-2022ના રોજ સવારે 8.00 વગ્‍યાના સુમારે રિક્ષામાં બેસી કયાંક જતા રહ્યા છે. જેમનો ફોન પણ બંધ છે. જેઓ આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ઉંમર 44 વર્ષ, ઊંચાઇ 5 ફૂટ, રંગે ઘંઉવર્ણ તથા મધ્‍યમ બાંધો છે. જેમને કેન્‍સરની બીમારી હોવાથી જીભ કાપી નાખેલી છે. તેમણે પીળા તથા ગુલાબી કલરની સાડી તથા ગળાના ભાગે બ્‍લુ કલરનો દુપટ્ટો પહેરેલો છે. જે ગુજરાતીતથા મરાઠી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઈને ભાળ મળે તો ભીલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટનો શકવર્તી ચુકાદો આમલી ખાતે રહેતા યુવાનનું ગળુ દબાવી હત્‍યા કરવાના ગુનાના આરોપીજીજ્ઞેશ ભીખા વાળંદને ફટકારેલી આજીવન કેદની સજા

vartmanpravah

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

vartmanpravah

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

vartmanpravah

Leave a Comment