September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડું, ખાડી ફળિયા ખાતે રહેતા ચંદ્રકલાબેનઅશોકભાઈ પવાર તા.14/5/2022ના રોજ નાના દીકરા વિજય પવારના ઘરે ગયા હતા. જ્‍યાં તેમના વહુ ગંગાબેન સાથે દૂધ બાબતે સમાન્‍ય બોલાચાલી થતા એ જ દિવસે સાંજે 4.30 વાગ્‍યે તેમના મોટા દીકરા રવિ પવારને ત્‍યાં જતા રહ્યાં હતા. ત્‍યાંથી તા.12-05-2022ના રોજ સવારે 8.00 વગ્‍યાના સુમારે રિક્ષામાં બેસી કયાંક જતા રહ્યા છે. જેમનો ફોન પણ બંધ છે. જેઓ આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ઉંમર 44 વર્ષ, ઊંચાઇ 5 ફૂટ, રંગે ઘંઉવર્ણ તથા મધ્‍યમ બાંધો છે. જેમને કેન્‍સરની બીમારી હોવાથી જીભ કાપી નાખેલી છે. તેમણે પીળા તથા ગુલાબી કલરની સાડી તથા ગળાના ભાગે બ્‍લુ કલરનો દુપટ્ટો પહેરેલો છે. જે ગુજરાતીતથા મરાઠી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઈને ભાળ મળે તો ભીલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દીવ કૉલેજમાં વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા યોજાઈ

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

vartmanpravah

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment