October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકના એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયા દંપત્તિએ સજોડે પૂજા-અર્ચના સાથે કરાવેલી શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમના આરંભ પ્રસંગે આજે મોટી દમણ શાખામાં પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયા અને તેમના ધર્મપત્‍ની સાથે સજોડે બેસી પૂજાવિધિ સંપન્ન કરી હતી.
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની મોટી દમણ શાખાનો આરંભ તા.15.05.1989ના રોજ ભાડાના મકાનમાં કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ 28મી ઓક્‍ટોબર, 2006ના રોજ બેંક દ્વારા પોતાની માલિકીનું મકાન ખરીદી સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બેંકની ઉત્તરોત્તર પ્રગતિ થતાં વધેલી જરૂરિયાત અને ઉત્તમ ગ્રાહક વર્ગની જાળવણી જેવા પરિબળોને ધ્‍યાનમાં લઈ સરકારશ્રી દ્વારા નિયુક્‍ત બેંકના એડમિનિસ્‍ટ્રેટર દ્વારા શાખાના નવીનિકરણની કામગીરી હાથ ધરી હતી. જે આજે પૂર્ણ થતાં બેંકના ગ્રાહકો અને શેર હોલ્‍ડરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
છેલ્લા એકકરતા વધુ વર્ષથી બેંકનો વહીવટ સરકારશ્રી દ્વારા નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયાએ સંભાળતા એમના કાર્યકાળ દરમિયાન થાપણવૃદ્ધિ, લોનવૃદ્ધિ, છેલ્લા 3 દાયકાથી પણ વધુ જૂની બાકી લેણાંની વસૂલાત તથા બેંકની નફાકારકતાને ઐતિહાસિક સ્‍તરે પહોંચાડવાનું ઉમદા કાર્ય પાર પડયું છે. આજે મોટી દમણ શાખામાં નવા લોકર રૂમનું પણ નિર્માણ કરવામાં આવતાં તે માનવંતા ગ્રાહકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

Related posts

જિલ્લા બાળ સુરક્ષા એકમની અધૂરી તપાસને લઈ : દુષ્‍કર્મના ખોટા આરોપમાં પિતાએ બે વર્ષ જેલ ભોગવીઃ વાપી કોર્ટે નિર્દોષ જાહેર કર્યાઃ આબરૂ-સન્‍માન પાછું મેળવવા જીદપકડી

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ

vartmanpravah

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ‘બાપ’ના દિપકભાઈ કુરાડાએ ભરેલું ઉમેદવારી પત્રક: મોટી સંખ્‍યામાં રહેલી સમર્થકો અને ટેકેદારોની ઉપસ્‍થિતિ

vartmanpravah

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment