January 28, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકના એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયા દંપત્તિએ સજોડે પૂજા-અર્ચના સાથે કરાવેલી શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમના આરંભ પ્રસંગે આજે મોટી દમણ શાખામાં પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયા અને તેમના ધર્મપત્‍ની સાથે સજોડે બેસી પૂજાવિધિ સંપન્ન કરી હતી.
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની મોટી દમણ શાખાનો આરંભ તા.15.05.1989ના રોજ ભાડાના મકાનમાં કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ 28મી ઓક્‍ટોબર, 2006ના રોજ બેંક દ્વારા પોતાની માલિકીનું મકાન ખરીદી સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બેંકની ઉત્તરોત્તર પ્રગતિ થતાં વધેલી જરૂરિયાત અને ઉત્તમ ગ્રાહક વર્ગની જાળવણી જેવા પરિબળોને ધ્‍યાનમાં લઈ સરકારશ્રી દ્વારા નિયુક્‍ત બેંકના એડમિનિસ્‍ટ્રેટર દ્વારા શાખાના નવીનિકરણની કામગીરી હાથ ધરી હતી. જે આજે પૂર્ણ થતાં બેંકના ગ્રાહકો અને શેર હોલ્‍ડરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
છેલ્લા એકકરતા વધુ વર્ષથી બેંકનો વહીવટ સરકારશ્રી દ્વારા નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયાએ સંભાળતા એમના કાર્યકાળ દરમિયાન થાપણવૃદ્ધિ, લોનવૃદ્ધિ, છેલ્લા 3 દાયકાથી પણ વધુ જૂની બાકી લેણાંની વસૂલાત તથા બેંકની નફાકારકતાને ઐતિહાસિક સ્‍તરે પહોંચાડવાનું ઉમદા કાર્ય પાર પડયું છે. આજે મોટી દમણ શાખામાં નવા લોકર રૂમનું પણ નિર્માણ કરવામાં આવતાં તે માનવંતા ગ્રાહકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

Related posts

દમણમાં થર્ટીફર્સ્‍ટની ઉજવણી કરી પીધેલી હાલતમાં ઘરે પરત ફરવાની હવે ચિંતા ટળી દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના હોલમાં પીયક્કડો માટે રહેવાની કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ તથા અન્‍ય રાજ્‍યપાલો સાથે ઉપરાષ્‍ટ્રપતિ ભવન ખાતે હાઈ ટી દરમિયાન વિવિધ મુદ્દાઓ ઉપર કરેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

vartmanpravah

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ-સુરતના પ્રતિનિધિઓની વાપીમાં મીટિંગ યોજાઈ : માતાજીના દિવ્‍ય રથ આગમનની ચર્ચા

vartmanpravah

Leave a Comment