Vartman Pravah
Breaking Newsદમણ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકના એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયા દંપત્તિએ સજોડે પૂજા-અર્ચના સાથે કરાવેલી શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમના આરંભ પ્રસંગે આજે મોટી દમણ શાખામાં પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયા અને તેમના ધર્મપત્‍ની સાથે સજોડે બેસી પૂજાવિધિ સંપન્ન કરી હતી.
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની મોટી દમણ શાખાનો આરંભ તા.15.05.1989ના રોજ ભાડાના મકાનમાં કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ 28મી ઓક્‍ટોબર, 2006ના રોજ બેંક દ્વારા પોતાની માલિકીનું મકાન ખરીદી સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બેંકની ઉત્તરોત્તર પ્રગતિ થતાં વધેલી જરૂરિયાત અને ઉત્તમ ગ્રાહક વર્ગની જાળવણી જેવા પરિબળોને ધ્‍યાનમાં લઈ સરકારશ્રી દ્વારા નિયુક્‍ત બેંકના એડમિનિસ્‍ટ્રેટર દ્વારા શાખાના નવીનિકરણની કામગીરી હાથ ધરી હતી. જે આજે પૂર્ણ થતાં બેંકના ગ્રાહકો અને શેર હોલ્‍ડરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
છેલ્લા એકકરતા વધુ વર્ષથી બેંકનો વહીવટ સરકારશ્રી દ્વારા નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયાએ સંભાળતા એમના કાર્યકાળ દરમિયાન થાપણવૃદ્ધિ, લોનવૃદ્ધિ, છેલ્લા 3 દાયકાથી પણ વધુ જૂની બાકી લેણાંની વસૂલાત તથા બેંકની નફાકારકતાને ઐતિહાસિક સ્‍તરે પહોંચાડવાનું ઉમદા કાર્ય પાર પડયું છે. આજે મોટી દમણ શાખામાં નવા લોકર રૂમનું પણ નિર્માણ કરવામાં આવતાં તે માનવંતા ગ્રાહકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

Related posts

‘રાષ્ટ્રીય રક્ષા સંઘ’ દ્વારા તેના ચોથા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી વૃક્ષો જમીનદોસ્‍તઃ વીજળીના થાંભલા તૂટી પડતા વીજળી ગુલઃ સુરંગીમાં પોલીસ આઉટપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાંના અધ્‍યક્ષસ્‍થાને શાળા પ્રવેશોત્‍સવ બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

Leave a Comment