October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેલવે મંત્રાલયદ્વારા ચીખલીના કણભઈ, ફડવેલ, અગાસી અને રૂમલામાં ભુસાવલ-પાલઘર રેલવે પરિયોજના માટે સર્વે હાથ ધરાયો

સુરત-નાસિક-અહમદનગર હાઈવેનું ભૂત ગયું ત્‍યારે હવે રેલવે પરિયોજનાનું તાલુકામાં ભૂત ધૂણશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ભારત સરકારના રેલવે મંત્રલાયના ડેડીકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિ (ડીએફસીસીઆઇએલ) ના નાગપુર યુનિટ દ્વારા ભુસાવલથી પાલધર વચ્‍ચેની રેલવે પરિયોજના માટે ડીપીઆર તૈયાર કરવા જીયો લોજીકલ, હાઈ ડ્રોલોજીકલ સર્વે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રેલવે પરિયોજનાના સર્વે માટે ડીએફસીસીઆઇએલના નાગપુર યુનિટ પરિયોજના પ્રબંધક દ્વારા સંબંધિત મામલતદારોને જાણ કરાતા ચીખલી મામલતદાર દ્વારા પણ ભુસાવલ-પાલધર વચ્‍ચેની રેલવે પરિયોજનમાં સમાવેશ થતા ચીખલી તાલુકાના કણભઇ, ફડવેલ, અગાસી અને રૂમલા એમ ચાર ગામોના સરપંચો,તલાટીઓ અને તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવાની પણ તૈયારી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, સુરત-નાસિક-અહમદનગર હાઇવે માટેની કામગીરી ભારત સરકાર દ્વારા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવતા આ હાઇવેનું ભૂત તાલુકામાંથી ગયું છે. ત્‍યારે હવે તાલુકાના ઉપરોક્‍ત ચાર ગામોમાંથીરેલવે પરિયોજનાનું ભૂત ધૂણશે ત્‍યારે આ અંગે સ્‍થાનિકોનો કેવો પ્રતિસાદ રહેશે તે જોવું રહ્યું.

Related posts

દમણ : પાવરગ્રીડ દ્વારા ઊર્જા સંરક્ષણ પર રાજ્‍ય કક્ષાની ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના જન્‍મદિનના ઉપલક્ષમાં દમણ પ્રિમીયર લીગ સિઝન-રનો આરંભ

vartmanpravah

‘રાષ્ટ્રીય રક્ષા સંઘ’ દ્વારા તેના ચોથા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

માહ્યાવંશી પ્રિમીયર લીગમાં એન્‍જલ ઈલેવન ચેમ્‍પિયન : સનાયા ઈલેવન રનર્સઅપ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah

Leave a Comment