June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેલવે મંત્રાલયદ્વારા ચીખલીના કણભઈ, ફડવેલ, અગાસી અને રૂમલામાં ભુસાવલ-પાલઘર રેલવે પરિયોજના માટે સર્વે હાથ ધરાયો

સુરત-નાસિક-અહમદનગર હાઈવેનું ભૂત ગયું ત્‍યારે હવે રેલવે પરિયોજનાનું તાલુકામાં ભૂત ધૂણશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ભારત સરકારના રેલવે મંત્રલાયના ડેડીકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિ (ડીએફસીસીઆઇએલ) ના નાગપુર યુનિટ દ્વારા ભુસાવલથી પાલધર વચ્‍ચેની રેલવે પરિયોજના માટે ડીપીઆર તૈયાર કરવા જીયો લોજીકલ, હાઈ ડ્રોલોજીકલ સર્વે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રેલવે પરિયોજનાના સર્વે માટે ડીએફસીસીઆઇએલના નાગપુર યુનિટ પરિયોજના પ્રબંધક દ્વારા સંબંધિત મામલતદારોને જાણ કરાતા ચીખલી મામલતદાર દ્વારા પણ ભુસાવલ-પાલધર વચ્‍ચેની રેલવે પરિયોજનમાં સમાવેશ થતા ચીખલી તાલુકાના કણભઇ, ફડવેલ, અગાસી અને રૂમલા એમ ચાર ગામોના સરપંચો,તલાટીઓ અને તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવાની પણ તૈયારી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, સુરત-નાસિક-અહમદનગર હાઇવે માટેની કામગીરી ભારત સરકાર દ્વારા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવતા આ હાઇવેનું ભૂત તાલુકામાંથી ગયું છે. ત્‍યારે હવે તાલુકાના ઉપરોક્‍ત ચાર ગામોમાંથીરેલવે પરિયોજનાનું ભૂત ધૂણશે ત્‍યારે આ અંગે સ્‍થાનિકોનો કેવો પ્રતિસાદ રહેશે તે જોવું રહ્યું.

Related posts

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

vartmanpravah

ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પી.એમ. મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રએ પત્રકારોને માહિતગાર કર્યા

vartmanpravah

Leave a Comment