October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેલવે મંત્રાલયદ્વારા ચીખલીના કણભઈ, ફડવેલ, અગાસી અને રૂમલામાં ભુસાવલ-પાલઘર રેલવે પરિયોજના માટે સર્વે હાથ ધરાયો

સુરત-નાસિક-અહમદનગર હાઈવેનું ભૂત ગયું ત્‍યારે હવે રેલવે પરિયોજનાનું તાલુકામાં ભૂત ધૂણશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ભારત સરકારના રેલવે મંત્રલાયના ડેડીકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિ (ડીએફસીસીઆઇએલ) ના નાગપુર યુનિટ દ્વારા ભુસાવલથી પાલધર વચ્‍ચેની રેલવે પરિયોજના માટે ડીપીઆર તૈયાર કરવા જીયો લોજીકલ, હાઈ ડ્રોલોજીકલ સર્વે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રેલવે પરિયોજનાના સર્વે માટે ડીએફસીસીઆઇએલના નાગપુર યુનિટ પરિયોજના પ્રબંધક દ્વારા સંબંધિત મામલતદારોને જાણ કરાતા ચીખલી મામલતદાર દ્વારા પણ ભુસાવલ-પાલધર વચ્‍ચેની રેલવે પરિયોજનમાં સમાવેશ થતા ચીખલી તાલુકાના કણભઇ, ફડવેલ, અગાસી અને રૂમલા એમ ચાર ગામોના સરપંચો,તલાટીઓ અને તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવાની પણ તૈયારી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, સુરત-નાસિક-અહમદનગર હાઇવે માટેની કામગીરી ભારત સરકાર દ્વારા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવતા આ હાઇવેનું ભૂત તાલુકામાંથી ગયું છે. ત્‍યારે હવે તાલુકાના ઉપરોક્‍ત ચાર ગામોમાંથીરેલવે પરિયોજનાનું ભૂત ધૂણશે ત્‍યારે આ અંગે સ્‍થાનિકોનો કેવો પ્રતિસાદ રહેશે તે જોવું રહ્યું.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, માધ્‍યમિક અને ઉચ્‍ચતરમાધ્‍યમિક શાળા સલવાવ દ્વારા રંગે ચંગે ‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરાઈ

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah

નાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે સ્‍કૂટરને અડફેટમાં લઈ અકસ્‍માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

vartmanpravah

Leave a Comment