September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રેલવે ઓવરબ્રિજ બંધ કરાતા ઉદ્દભવતી ટ્રાફિક સમસ્‍યા ઉકેલ માટે ઉચ્‍ચ બેઠક મળી

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રાંત, પોલીસ અધિકારી અને વી.આઈ.એ. હોદ્દેદારોએ ટ્રાફિક ઉકેલની ચર્ચા સાથે નિર્ણયો લેવા મળેલી બેઠક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી રેલવેનો બ્રિજ નવો બનવાનો હોવાથી જુનો બ્રીજ બંધ કરી બ્રિજની તોડવાની કામગીરી આરંભાઈ ચુકી છે. આ સંદર્ભે વાપીમાં ઉદ્દભવી રહેલ ટ્રાફિક સમસ્‍યાના યોગ્‍ય નિરાકરણ માટે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજાઈ હતી.
વાપીમાં ઉદ્દભવી રહેલ ટ્રાફિક સમસ્‍યા હલ કરવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં યોજાયેલ મીટિંગમાં એસ.પી. ઝાલા, ડી.વાય.એસ.પી. દવે, પ્રાંત અધિકારી વસાવા, આર. એન્‍ડ બી. ના એક્‍ઝીક્‍યુટીવ એન્‍જિનિયર એન.એન. પટેલ, પાલિકા ટી.પી. પ્‍લનાર કલ્‍પેશ શાહ, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ, સેક્રેટરી સતિષભાઈ, નોટીફાઈડ ભાજપ પ્રમુખહેમંત પટેલ, એડવાઈઝરી બોર્ડના મિલનભાઈ દેસાઈ, યોગેશ કાબરીયા વિગેરે જોડાયા હતા. ટ્રાફિક સંતુલન કરવાના મીટિંગમાં લેવાયેલ નિર્ણયોમાં બલીઠા-વાપી, નામધા તરફ જતા રોડને પહોળો કરવો, ફાટકથી કબ્રસ્‍તાન નવિન રોડ પાલિકા તાત્‍કાલિક બનાવે, બ્રહ્મદેવ મંદિરથી છીરી જતો રોડ પંચાયત વિભાગ બનાવશે. દમણ-બલીઠા ફાટકથી આવતા વાહનો માટે સલવાવ સુધીનો સર્વિસ રોડ પહોળો બનાવવો તેમજ કોસ્‍ટલ હાઈવે મરામતની કામગીરી તાત્‍કાલિક પૂર્ણ કરવી જેવા અનેક નિર્ણયો ઉચ્‍ચ સ્‍તરીય મળેલ મીટિંગમાં લેવાયા હતા.

Related posts

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

ચિવલમાં ફાયનાન્‍સ કંપનીના લોન પેટેની રકમ બાબતના વારંવાર ફોનથી કંટાળી પીયાગો માલિકે રિક્ષા સળગાવી દીધી

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

દાનહમાં ગેરકાયદેસર માટી ખનન કરનારા તત્ત્વો સામે સેલવાસ મામલતદારની ટીમે કરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

Leave a Comment