April 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રેલવે ઓવરબ્રિજ બંધ કરાતા ઉદ્દભવતી ટ્રાફિક સમસ્‍યા ઉકેલ માટે ઉચ્‍ચ બેઠક મળી

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રાંત, પોલીસ અધિકારી અને વી.આઈ.એ. હોદ્દેદારોએ ટ્રાફિક ઉકેલની ચર્ચા સાથે નિર્ણયો લેવા મળેલી બેઠક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી રેલવેનો બ્રિજ નવો બનવાનો હોવાથી જુનો બ્રીજ બંધ કરી બ્રિજની તોડવાની કામગીરી આરંભાઈ ચુકી છે. આ સંદર્ભે વાપીમાં ઉદ્દભવી રહેલ ટ્રાફિક સમસ્‍યાના યોગ્‍ય નિરાકરણ માટે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજાઈ હતી.
વાપીમાં ઉદ્દભવી રહેલ ટ્રાફિક સમસ્‍યા હલ કરવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં યોજાયેલ મીટિંગમાં એસ.પી. ઝાલા, ડી.વાય.એસ.પી. દવે, પ્રાંત અધિકારી વસાવા, આર. એન્‍ડ બી. ના એક્‍ઝીક્‍યુટીવ એન્‍જિનિયર એન.એન. પટેલ, પાલિકા ટી.પી. પ્‍લનાર કલ્‍પેશ શાહ, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ, સેક્રેટરી સતિષભાઈ, નોટીફાઈડ ભાજપ પ્રમુખહેમંત પટેલ, એડવાઈઝરી બોર્ડના મિલનભાઈ દેસાઈ, યોગેશ કાબરીયા વિગેરે જોડાયા હતા. ટ્રાફિક સંતુલન કરવાના મીટિંગમાં લેવાયેલ નિર્ણયોમાં બલીઠા-વાપી, નામધા તરફ જતા રોડને પહોળો કરવો, ફાટકથી કબ્રસ્‍તાન નવિન રોડ પાલિકા તાત્‍કાલિક બનાવે, બ્રહ્મદેવ મંદિરથી છીરી જતો રોડ પંચાયત વિભાગ બનાવશે. દમણ-બલીઠા ફાટકથી આવતા વાહનો માટે સલવાવ સુધીનો સર્વિસ રોડ પહોળો બનાવવો તેમજ કોસ્‍ટલ હાઈવે મરામતની કામગીરી તાત્‍કાલિક પૂર્ણ કરવી જેવા અનેક નિર્ણયો ઉચ્‍ચ સ્‍તરીય મળેલ મીટિંગમાં લેવાયા હતા.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનમાં શરૂ થયેલા કોન્‍ટ્રાક્‍ટ અને આઉટ સોર્સિસના ચલણની પુનઃ સમીક્ષા થવી આવશ્‍યક

vartmanpravah

…અને પ્રશાસકશ્રીએ દમણના વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલ ધરમપુરમાં કાર્ડિયેક રિહેબિલિટેશન કાર્યક્રમ – હૃદયરોગના દર્દીઓ માટે વરદાનરૂપ

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીના વિજયશિલ્‍પી રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ અને દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલનું ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં.ની બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન પટેલે કરેલું ભવ્‍ય અભિવાદન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

Leave a Comment