October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના 52 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને 7 શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેઅંતર્ગત કપરાડા તાલુકાના લવકર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે આ દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50 થી 60 સગર્ભા બેનોના આરોગ્‍યની તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્‍ય કચેરીના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે જણાવ્‍યુ કે, દર વર્ષે 21 ઓક્‍ટોબરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આયોડિન યુક્‍ત મીઠુ શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્‍વનું છે. શરીરમાં આયોડિનની ઉણપથી સગર્ભાવસ્‍થામાં અને આવનાર નવજાત બાળકોને ખૂબ જ ગંભીર અસર કરે છે. ગોઈટર (ગલગંડ), માનસિક પંગુતા, કસુવાવડ, ઠીંગણાપણુ જેવા રોગો થાય છે. આયોડિનએ ગર્ભધારણથી લઈને જન્‍મ પછીના બે વર્ષ સુધીના બાળકો માટે આવશ્‍યક પોષક તત્‍વો છે. આયોડિન જરૂરીયાતની પૂર્તિ અનાજ અને ધાન્‍ય ખોરાકમાંથી થાય છે. પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો થાઈરોઈડ ગ્રંથિને અસર કરે છે. આયોડિન માટેની જાગૃતતા લાવવા માટે આ દિવસ ઉજવાય છે. આજના ફાસ્‍ટફૂડ જમાનામાં આયોડિનયુક્‍ત મીઠાની ઉણપને લીધે બિમારીઓનું જોખમ વધી રહ્યું છે.

Related posts

રવિવારે દાનહના કરચોંડ ઘાટ ઉપર ખાનગી બસની બ્રેક ફેઈલ થતાં અકસ્‍માતમાં ક્‍લીનરનું ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

વાપીની આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો : 26મા રક્‍તદાન કેમ્‍પમાં 600 યુનિટ બમ્‍પર રક્‍તદાન થયું

vartmanpravah

વાપી પાસે આવેલ અંબાચ ગામે ખાનગી જમીન પચાવનાર સરોધીના 4 સહિત અધિકારી સામે ફરિયાદ:  મૂળ જમીન માલિકે પારડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ ફરિયાદ બાદ થયેલ કાર્યવાહી

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડયો

vartmanpravah

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા રસ્‍તાને નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે

vartmanpravah

Leave a Comment