June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના 52 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને 7 શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેઅંતર્ગત કપરાડા તાલુકાના લવકર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે આ દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50 થી 60 સગર્ભા બેનોના આરોગ્‍યની તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્‍ય કચેરીના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે જણાવ્‍યુ કે, દર વર્ષે 21 ઓક્‍ટોબરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આયોડિન યુક્‍ત મીઠુ શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્‍વનું છે. શરીરમાં આયોડિનની ઉણપથી સગર્ભાવસ્‍થામાં અને આવનાર નવજાત બાળકોને ખૂબ જ ગંભીર અસર કરે છે. ગોઈટર (ગલગંડ), માનસિક પંગુતા, કસુવાવડ, ઠીંગણાપણુ જેવા રોગો થાય છે. આયોડિનએ ગર્ભધારણથી લઈને જન્‍મ પછીના બે વર્ષ સુધીના બાળકો માટે આવશ્‍યક પોષક તત્‍વો છે. આયોડિન જરૂરીયાતની પૂર્તિ અનાજ અને ધાન્‍ય ખોરાકમાંથી થાય છે. પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો થાઈરોઈડ ગ્રંથિને અસર કરે છે. આયોડિન માટેની જાગૃતતા લાવવા માટે આ દિવસ ઉજવાય છે. આજના ફાસ્‍ટફૂડ જમાનામાં આયોડિનયુક્‍ત મીઠાની ઉણપને લીધે બિમારીઓનું જોખમ વધી રહ્યું છે.

Related posts

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

vartmanpravah

વાપીમાં રાજસ્‍થાન વિપ્ર મહિલા મંડળ દ્વારા ગણગોર ઉત્‍સવ ઉજવાયો : નૃત્‍ય કરી ગૌર માતાની અર્ચના કરી

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે બેસ્‍ટ જિલ્લા કલેક્‍ટરનો એવોર્ડ વલસાડના તત્‍કાલિન કલેક્‍ટર સી.આર. ખરસાણને એનાયત

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દીવ જિલ્લા યુવા ભાજપ દ્વારા પંજાબની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભવ્‍ય મશાલ રેલી યોજાઈ

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં “રન ફોર સેવ યુથ એન્ડ સેવ નેશન” માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment