August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં ભૂલકા મેળો યોજાયો

બાળકોના વિકાસ અને શિક્ષણ અંગે વાલીઓ સાથે સંવાદ પણ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લા આઈ.સી.ડી.એસ કચેરીના વલસાડ ઘટક-3 દ્વારા પ્રોગ્રામ ઓફિસર નિલમબેન પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘પા પા પગલી” પ્રોજેકટ અંતર્ગત ઘટક કક્ષાનો ભૂલકા મેળો-2024નું આયોજન અતુલ ગ્રામ પંચાયતના હોલમાં કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન પટેલ, અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમભાઈ, પારનેરાના સરપંચ ભરતભાઈ, જી.આઈ.સી.ડી.ના ભ્‍.લ્‍.ચ્‍ ઈન્‍સ્‍ટ્રકટર રુપાલીબેન તથા પૂર્ણા કન્‍સલટ્‍ન્‍ટના મુમુક્ષાબેન તથા ઘ્‍.ઝ.ભ્‍.બ્‍ સોનલબેન પટેલ દ્વારા સાંસ્કૃતિક ક્રાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષ ઘટક કક્ષાના ભૂલકા મેળામાં શિક્ષણમાં સર્જનાત્‍મકતા દ્વારા સાંસ્કૃતિક ક્રાર્યક્રમમાં બાળવાર્તા, બાળગીત, વેશભૂશા, અભિનય વાર્તાનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા તેઓના શિક્ષણમાં ઉપયોગી થાય તેવા શૈક્ષણિક સાધન બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. આ વ્‍.ન્‍.પ્‍. બાળકોના સર્વાગી વિકાસને ધ્‍યાને રાખી સ્‍થાનિક રીતે ઉપલ્‍બ્‍ધ સાધન સામગ્રી લો કોસ્‍ટ અને સરળતાથી બનાવીશકાય તથા બાળકોને શીખવવામાં ઉપયોગ કરી શકાય તેવા રજૂ કરવામાં આવી હતી.
બાળકોની સાંસ્‍કળતિક કળતિ તથા માં સર્વશ્રેષ્ઠ કળતિઓને નિર્ણાયક ટીમના દર્શીનીબેન તથા હીનાબેન દ્વારા પ્રથમ, દ્વિતિય, તૃતિય નંબર આપવામાં આવ્‍યા તથા સાંસ્‍કળતિક ક્રાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ભૂલકાઓને પ્રોત્‍સાહન મળી રહે તે હેતુસર તેઓને ઈનામ આપવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ વાલીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્‍યો હતો જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને બાળકોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
-000-

Related posts

દાનહના ગલોન્‍ડા પંચાયત ખાતે સર્વ આદિવાસી સમાજ સંગઠન દ્વારા સ્‍વતંત્ર સેનાની જમની બા વરઠા ચોક જાહેર કરાયો : નામકરણ માટેના પ્રસ્‍તાવની નકલ ગલોન્‍ડા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રશાસન અને પ્રશાસકશ્રીને મોકલવામાં આવશે

vartmanpravah

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં બાકી ઉધારી નહી આપતા વેપારીઍ ગ્રાહકને બેઝબોલના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah

Leave a Comment