October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના 52 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને 7 શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેઅંતર્ગત કપરાડા તાલુકાના લવકર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે આ દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50 થી 60 સગર્ભા બેનોના આરોગ્‍યની તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્‍ય કચેરીના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે જણાવ્‍યુ કે, દર વર્ષે 21 ઓક્‍ટોબરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આયોડિન યુક્‍ત મીઠુ શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્‍વનું છે. શરીરમાં આયોડિનની ઉણપથી સગર્ભાવસ્‍થામાં અને આવનાર નવજાત બાળકોને ખૂબ જ ગંભીર અસર કરે છે. ગોઈટર (ગલગંડ), માનસિક પંગુતા, કસુવાવડ, ઠીંગણાપણુ જેવા રોગો થાય છે. આયોડિનએ ગર્ભધારણથી લઈને જન્‍મ પછીના બે વર્ષ સુધીના બાળકો માટે આવશ્‍યક પોષક તત્‍વો છે. આયોડિન જરૂરીયાતની પૂર્તિ અનાજ અને ધાન્‍ય ખોરાકમાંથી થાય છે. પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો થાઈરોઈડ ગ્રંથિને અસર કરે છે. આયોડિન માટેની જાગૃતતા લાવવા માટે આ દિવસ ઉજવાય છે. આજના ફાસ્‍ટફૂડ જમાનામાં આયોડિનયુક્‍ત મીઠાની ઉણપને લીધે બિમારીઓનું જોખમ વધી રહ્યું છે.

Related posts

‘ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી), સબકી યોજના, સબકા વિકાસ-2025-26′ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતની યોજાનારી ગ્રામસભા

vartmanpravah

વાપી ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાની શિક્ષિકા શાલિનીબેનમનુભાઈ વશીનો નિવૃત્તિ શુભેચ્‍છા સમારોહ યોજાયો

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજનું ગૌરવ

vartmanpravah

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય જેવી વિકળત માનસિકતા ધરાવતા આરોપીને દસ દિવસના રિમાન્‍ડ બાદ પોલીસે કર્યું ઘટના સ્‍થળે રી-કન્‍સ્‍ટ્રક્‍શન

vartmanpravah

Leave a Comment