April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના 52 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને 7 શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેઅંતર્ગત કપરાડા તાલુકાના લવકર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે આ દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50 થી 60 સગર્ભા બેનોના આરોગ્‍યની તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્‍ય કચેરીના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે જણાવ્‍યુ કે, દર વર્ષે 21 ઓક્‍ટોબરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આયોડિન યુક્‍ત મીઠુ શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્‍વનું છે. શરીરમાં આયોડિનની ઉણપથી સગર્ભાવસ્‍થામાં અને આવનાર નવજાત બાળકોને ખૂબ જ ગંભીર અસર કરે છે. ગોઈટર (ગલગંડ), માનસિક પંગુતા, કસુવાવડ, ઠીંગણાપણુ જેવા રોગો થાય છે. આયોડિનએ ગર્ભધારણથી લઈને જન્‍મ પછીના બે વર્ષ સુધીના બાળકો માટે આવશ્‍યક પોષક તત્‍વો છે. આયોડિન જરૂરીયાતની પૂર્તિ અનાજ અને ધાન્‍ય ખોરાકમાંથી થાય છે. પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો થાઈરોઈડ ગ્રંથિને અસર કરે છે. આયોડિન માટેની જાગૃતતા લાવવા માટે આ દિવસ ઉજવાય છે. આજના ફાસ્‍ટફૂડ જમાનામાં આયોડિનયુક્‍ત મીઠાની ઉણપને લીધે બિમારીઓનું જોખમ વધી રહ્યું છે.

Related posts

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

vartmanpravah

વાપીની શ્રી એલજી હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ્‍સ ગાઈડ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ ટ્રેનિંગ કેમ્‍પ માટે દાહોદ જવા રવાના: દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે પાઠવેલી શુભેચ્‍છાઓ

vartmanpravah

કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્‍હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્‍યા

vartmanpravah

ચીખલી વન વિભાગે ચીમલા ગામે છાપો મારી ખેરના લાકડાનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

શ્રી વલ્લભઆશ્રમ શાળામાં ભક્‍તિભાવ પૂર્ણરીતે શ્રી કૃષ્‍ણનો જન્‍મોત્‍સવ જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment