April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાનાકપરાડા તાલુકાના કાકડકોપર ગામે વિહંગમયોગ સંત સમાજનો 101મો વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર સુધીની છે. જે યાત્રા અંતર્ગત 26મી ઓક્‍ટોબર 2024ના શનિવારે સાંજે 5.00 કલાકે આ સંકલ્‍પ યાત્રા સિલ્‍વર લીફ હોટલ કાકડકોપર દંડકારણ્‍યની પવિત્ર ભૂમિ પર આવશે.
દિપ પ્રાગટય સ્‍વામી વિજ્ઞાન વલ્લભદાસજી-ગાંધીઆશ્રમ મોંટાપોંઢા સ્‍વામી હરિ વલ્લભદાસજી – સ્‍વામી નારાયણ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ મોંટાપોંઢા અતિથિ વિશેષ જીતુભાઈ ચૌધરી MLA કપરાડા, કમલેશભાઈ પટેલ (મહામંત્રી વલસાડ), ગુલાબભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્‍ય, વિપુલભાઈ ભોયા પ્રમુખ યુવા મોરચા કપરાડા ઉપસ્‍થિત રહેશે. તો સદર આધ્‍યાત્‍મિક યાત્રાનો સંત પ્રવરના સાનિધ્‍યમાં સપરિવાર લાભ લેવા શૈલેષભાઈ પટેલ, કલ્‍પેશભાઈ પટેલ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

Related posts

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વાપીનગરપાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ માટે જાહેરનામુ પ્રસિધ્‍ધઃ 14 ડિસેમ્‍બરે ચૂંટણી યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

Leave a Comment