August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાનાકપરાડા તાલુકાના કાકડકોપર ગામે વિહંગમયોગ સંત સમાજનો 101મો વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર સુધીની છે. જે યાત્રા અંતર્ગત 26મી ઓક્‍ટોબર 2024ના શનિવારે સાંજે 5.00 કલાકે આ સંકલ્‍પ યાત્રા સિલ્‍વર લીફ હોટલ કાકડકોપર દંડકારણ્‍યની પવિત્ર ભૂમિ પર આવશે.
દિપ પ્રાગટય સ્‍વામી વિજ્ઞાન વલ્લભદાસજી-ગાંધીઆશ્રમ મોંટાપોંઢા સ્‍વામી હરિ વલ્લભદાસજી – સ્‍વામી નારાયણ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ મોંટાપોંઢા અતિથિ વિશેષ જીતુભાઈ ચૌધરી MLA કપરાડા, કમલેશભાઈ પટેલ (મહામંત્રી વલસાડ), ગુલાબભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્‍ય, વિપુલભાઈ ભોયા પ્રમુખ યુવા મોરચા કપરાડા ઉપસ્‍થિત રહેશે. તો સદર આધ્‍યાત્‍મિક યાત્રાનો સંત પ્રવરના સાનિધ્‍યમાં સપરિવાર લાભ લેવા શૈલેષભાઈ પટેલ, કલ્‍પેશભાઈ પટેલ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

Related posts

દમણના સરકારી કચીગામ ફાર્મ ખાતે આયોજીત કૃષિ મહોત્‍સવમાં સંઘપ્રદેશે કૃષિ ક્ષેત્રે ભરેલી હરણફાળના થયેલા દર્શન

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજ પ્રકરણમાં ભ્રષ્ટાચારના ફૂટી રહેલા નવા ફણગા

vartmanpravah

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

GNLU કેમ્‍પસ સેલવાસ ખાતે ECO ક્‍લબનું કરાયેલું ઉદ્‌ઘાટનઃ પ્‍લાન્‍ટેશન ડ્રાઇવ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું કરાયેલું વાવેતર

vartmanpravah

વલસાડના યુવાને નીટની પરિક્ષા આપ્‍યા બાદ હતાશામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment