June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરાની માનસિક અસ્‍થિર મહિલા વલસાડ આવી પહોંચતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

અજાણી મહિલા કયારેક પોતાનું નામ કિયા તો કયારેક આરૂષી બતાવી રહી હોવાથી મૂંઝવણ વધી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્‍પલાઈન દ્વારા તા.13/10/2024ના રોજ સાંજે 4:50 કલાકેવલસાડ રેલવે સ્‍ટેશન પરથી એક અજાણી મહિલાને સખી વન સ્‍ટોપ સેન્‍ટર ખાતે આશ્રય માટે લાવવામાં આવી હતી. જેથી હંગામી ધોરણે આશ્રય આપી જીવન જરૂરીયાતની ચીજ-વસ્‍તુઓ આપવામાં આવી હતી. અજાણી મહિલાનું કાઉન્‍સેલીંગ કરતા ઘડીકમાં પોતાનું નામ કિયા તો ઘડીકમાં આરૂષી બતાવી રહી હતી. માનસિક સ્‍થિતી સારી ન હોવાથી કોઈ માહિતી ચોક્કસ રીતે આપી રહી ન હતી.
સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કાઉન્‍સેલર દ્વારા તા.14/10/2024ના રોજ આશ્રિત મહિલાનું ફરી કાઉન્‍સેલીંગ કરાતા તેણીએ બીલીમોરા સોમનાથ રેલ્‍વે કોલોનીના રહેવાસી હોવાનું જણાવ્‍યું હતું. જે ટ્રેનમાં બેસીને વલસાડ આવી પહોંચી હતી. માતા કૌશલ્‍યાબેન સોમનાથ મંદિરના બગીચામાં કામ કરે છે. મૂળ ઓરિસ્‍સાના વતની છે. જેથી વધુ તપાસ માટે સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કાઉન્‍સેલર દ્વારા બીલીમોરા રેલ્‍વે પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરી મહિલા વિશે જાણકારી આપી મહિલાનો ફોટો પણ મોકલ્‍યો હતો. રેલવે પોલીસે તપાસ કરી જણાવ્‍યું કે, આ મહિલા બીલીમોરાની રેલ્‍વે કોલોનીમાં રહેતી આવી છે. તેમના પિતાનો ટેલિફોનિક નંબર પણ આપતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કર્મચારી દ્વારા સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું કે, આશ્રિત મહિલા તેમની દીકરી ટીનુ (નામ બદલ્‍યુ છે) છે. દીકરીનીમાનસિક સ્‍થિતિ સારી નથી તેથી ઘરેથી નીકળી જાય છે. સેન્‍ટરના કર્મચારી દ્વારા તેમના પિતાને વલસાડ સેન્‍ટર ખાતે બોલાવવામાં આવ્‍યા હતા જેથી માતા પિતા વલસાડ આવી પહોંચતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરે દીકરીનું માતા પિતા સાથે મિલન કરાવતા તેઓએ રાજ્‍ય સરકારની સખી વન સ્‍ટોપ સેન્‍ટરની સેવાનો આભાર માન્‍યો હતો.

Related posts

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણી રદ્‌ કરવા શાકભાજીના વેપારી રામ મુરત મોર્યાએ કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વલવાડામાં પતિએ કરેલી પત્‍નીની હત્‍યા

vartmanpravah

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

vartmanpravah

Leave a Comment