August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

નેશનલ હાઈવેના જીવલેણ બની રહેલા ખાડાઓએ વલસાડ નજીક ડુંગરીના પિતા, માતા, પૂત્રીનો ભોગ લીધો

પરિવાર નંદવાયો : બાઈક ઉપર સુનીલભાઈ પટેલ, પત્‍ની રંજનબેન, પુત્રી હેત્‍વી ગુરુ પૂર્ણિમા ઉજવી ઘરે આવતા બાઈક ખાડામાં પટકાયેલ, પાછળથી ટ્રક ફરી વળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: નેશનલ હાઈવે ઉપર ડુંગરીથી વાપી સુધી પડી ગયેલા જીવલેણ સાબીત થયેલા ખાડાઓએ છેલ્લા બે દિવસમાં ચારનો ભોગ લીધો છે. ગઈકાલે વાપીની ઘટના બાદ ડુંગરી વલસાડનો પરિવાર ગુરુ પૂર્ણિમા ઉજવી અનાવલથી ઘરે પરત બાઈક ઉપર આવી રહેલ ત્‍યારે સોનવાડા નવા ઓવરબ્રિજ ઉપર પડેલા ઢગલાબંધ ખાડા પૈકી એક મોટા ખાડામાં પરિવારની બાઈક પટકાઈ હતી તેથી બાઈક સવાર પિતા-માતા અને પૂત્રી રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. પાછળથી આવતી ટ્રક ફરી વળતા માતા-પિતા ઘટના સ્‍થળે અને પૂત્રીનું સારવારમાં કમકમાટી ભર્યા મોત નિપજતા સમગ્ર વિસ્‍તારમાં હાઈવે ઓથોરીટી ઉપર ફીટકાર સાથે શોકનીકાલીમા છવાઈ ગઈ હતી.
પોલીસ સુત્રો મુજબ ડુંગરી વલસાડમાં રહેતા સુનીલભાઈ પટેલ (ઉ.વ.44) તેમની પત્‍ની રંજનબેન તથા પૂત્રી હેત્‍વી તેમની બાઈક નં.જીજે 15 એસી 0342 ઉપર સવાર થઈ અનાવલ ગામે ગુરુ પૂર્ણિમા ઉજવવા ગયા હતા. સાંજે બાઈક પર પરત આવી રહ્યા હતા ત્‍યારે સોનવાડાના નવા હાઈવે ઓવરબ્રિજ પર ખાડામાં બાઈક પટકાયું હતું. આખો પરિવાર ફંગોળાઈ ગયેલ તે દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રક નં.જીજે 11 વીવી 7707 બાઈક ઉપર ફરી વળતા માતા-પિતાનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યુ હતું જ્‍યારે પૂત્રી હેત્‍વીએ વલસાડ સિવિલમાં સારવારમાં અંતિમ શ્વાસ છોડેલો હચમચાવી નાખતી ઘટના બાદ આજે ગુરુવારે સવારે ત્રણ અર્થી સાથે નિકળતા આખુ ડુંગરી હિબકે ચઢયુ હતું.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલની કરાયેલી વરણી: મહામંત્રી પદે જેસલભાઈ પરમાર અને ટ્રસ્‍ટી તરીકે પ્રમોદભાઈ રાણાની નિયુક્‍તિ

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

Leave a Comment