Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ પરથી પટકાતા મહિલાનું સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.25: ચીખલી તાલુકાના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મોટરસાયકલ પાછળ બેસેલ કાંતાબેન પટેલ નીચે પટકાતા શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું. પોલીસે અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર મીનાબેન જયંતીભાઈ પટેલ (રહે.બોડવાક દાદરા ફળિયા તા.ચીખલી, જી.નવસારી) પોલીસ મથકે આપેલ ફરિયાદમાં જણાવ્‍યાનુસાર પુત્ર જીતેશ પટેલ અને તેની માતા કાંતાબેન પટેલસાથે સુરતના મહુવા ખાતે જમીન બાબતે કોર્ટમાં જવા માટે નીકળ્‍યા હતા. આ દરમ્‍યાન ચીખલી તાલુકાના ટાંકલ તળાવ ફળિયા ખાતે ટાંકલ-સરૈયા માર્ગ ઉપર સ્‍પેલેન્‍ડર મોટર સાયકલ નં.જીજે-21-એએલ-1779 ના ચાલક જીતેશકુમાર જયંતીલાલ પટેલે પોતાના કબજાની મોટર સાયકલને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા પાછળ બેથેલ કાંતાબેન શંકરભાઈ પ્રભુભાઈ પટેલ મો.સા ઉપરથી પડી જતા હાથ, પગના ભાગે મૂઢ માર વાગતા ઉલટી થવા લાગી હતી.
જેને પગલે જીતેશભાઈ પટેલે 108 ની મદદથી કાંટાબેન પટેલને ટાંકલ પીએચસી ખાતે સારવાર માટે લઈ જવાયા જ્‍યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું. બનાવ અંગેની ફરિયાદ મીનાબેન પટેલે કરતા પોલીસે મોટર સાયકલ ચાલક જીતેશકુમાર જયંતીભાઈ પટેલ (રહે.બોડવાંક, દાદરા ફરીયા તા.ચીખલી) સામે અકસ્‍માત મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

ચીખલીના વંકાલમાં માટી ખનનના ઈરાદે તળાવની પાળ તોડી નાંખતા પૂર્વ સરપંચે ટીડીઓ સહિત કલેક્‍ટરને આવેદન આપી તપાસની કરેલી માંગ

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

Leave a Comment