July 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

આરોપીની ધરપકડઅને તમામ રકમ જપ્ત કરવા પણ મળેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાનહના રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય અભિયાન વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર અધિકારી વિભાગમાંથી દર મહિને અપાતા કર્મચારીઓના પગાર આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેના કારણે એણે એવા કર્મચારીઓના પગારમાંથી રકમ ચાઉં કરવાની શરૂઆત કરી હતી કે જે કર્મચારીઓ નોકરી છોડી ચાલી ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર નેશનલ હેલ્‍પ મિશન (એનએચએમ) વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર સાહિલ ઉદય પરમાર જે કર્મચારીઓના પગારમાંથી પૈસા છેતરપીંડી કરી પોતાના બેન્‍ક ખાતામાં નાંખતો હતો. જેની જાણકારી વિભાગના અધિકારીને થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ધરપકડ બાદ પૂછપરછ દરમ્‍યાન સાહિલે જણાવ્‍યું હતું કે, એના પગારનું બેન્‍ક એકાઉન્‍ટ એચડીએફસી બેંકમાં છે પરંતુ એના બીજા પણ બે એકાઉન્‍ટ ખોલી રાખ્‍યા હતા. એક બેન્‍ક ઓફ બરોડા અને બીજું એક્‍સિસ બેંકમાં હતું. આ બન્ને એકાઉન્‍ટમાં એણે નોકરી છોડી ગયેલ કર્મચારીઓના પગાર ટ્રાન્‍સફર કર્યા હતા. જેની કુલ રકમ 42.50 લાખ રૂપિયા હતી.
પોતાના એકાઉન્‍ટમાં 42.50 લાખ રૂપિયા આવી ગયા બાદ 14 ઓગસ્‍ટના દિને પોતાના પદ પરથી રાજીનામુ આપ્‍યું હતુંઅને કેનેડા ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. જે દરમ્‍યાન ડિપાર્ટમેન્‍ટને એના આ ગોટાળાની ખબર પડી ત્‍યારે એકાઉન્‍ટન્‍ટ સાહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ અંગે પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે નેશનલ હેલ્‍થ મિશન (એનએચએમ) દાદરા નગર હવેલીની ફરિયાદ બાદ એની વિરુદ્ધ આઇપીસી 409 અને 420 મુજબ ગુનો નોંધી સાહિલની વાપી સ્‍થિત હરિયા પાર્કમાં એના ફલેટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ત્‍યારબાદ સાહિલને કોર્ટમાં રજૂ કરાતા ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપવામાં આવ્‍યા હતા. જે દરમ્‍યાન પોલીસે એના એકાઉન્‍ટમાંથી રૂા.42.50 લાખ જપ્ત કર્યા હતા અને ડિપાર્ટમેન્‍ટમાં ટ્રાન્‍સફર પણ કરી દીધા છે. આ અંગે સેલવાસ પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યો છે.

Related posts

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજી અંગે મુસદ્દો તૈયાર કરાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment