Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

આરોપીની ધરપકડઅને તમામ રકમ જપ્ત કરવા પણ મળેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાનહના રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય અભિયાન વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર અધિકારી વિભાગમાંથી દર મહિને અપાતા કર્મચારીઓના પગાર આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેના કારણે એણે એવા કર્મચારીઓના પગારમાંથી રકમ ચાઉં કરવાની શરૂઆત કરી હતી કે જે કર્મચારીઓ નોકરી છોડી ચાલી ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર નેશનલ હેલ્‍પ મિશન (એનએચએમ) વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર સાહિલ ઉદય પરમાર જે કર્મચારીઓના પગારમાંથી પૈસા છેતરપીંડી કરી પોતાના બેન્‍ક ખાતામાં નાંખતો હતો. જેની જાણકારી વિભાગના અધિકારીને થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ધરપકડ બાદ પૂછપરછ દરમ્‍યાન સાહિલે જણાવ્‍યું હતું કે, એના પગારનું બેન્‍ક એકાઉન્‍ટ એચડીએફસી બેંકમાં છે પરંતુ એના બીજા પણ બે એકાઉન્‍ટ ખોલી રાખ્‍યા હતા. એક બેન્‍ક ઓફ બરોડા અને બીજું એક્‍સિસ બેંકમાં હતું. આ બન્ને એકાઉન્‍ટમાં એણે નોકરી છોડી ગયેલ કર્મચારીઓના પગાર ટ્રાન્‍સફર કર્યા હતા. જેની કુલ રકમ 42.50 લાખ રૂપિયા હતી.
પોતાના એકાઉન્‍ટમાં 42.50 લાખ રૂપિયા આવી ગયા બાદ 14 ઓગસ્‍ટના દિને પોતાના પદ પરથી રાજીનામુ આપ્‍યું હતુંઅને કેનેડા ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. જે દરમ્‍યાન ડિપાર્ટમેન્‍ટને એના આ ગોટાળાની ખબર પડી ત્‍યારે એકાઉન્‍ટન્‍ટ સાહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ અંગે પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે નેશનલ હેલ્‍થ મિશન (એનએચએમ) દાદરા નગર હવેલીની ફરિયાદ બાદ એની વિરુદ્ધ આઇપીસી 409 અને 420 મુજબ ગુનો નોંધી સાહિલની વાપી સ્‍થિત હરિયા પાર્કમાં એના ફલેટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ત્‍યારબાદ સાહિલને કોર્ટમાં રજૂ કરાતા ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપવામાં આવ્‍યા હતા. જે દરમ્‍યાન પોલીસે એના એકાઉન્‍ટમાંથી રૂા.42.50 લાખ જપ્ત કર્યા હતા અને ડિપાર્ટમેન્‍ટમાં ટ્રાન્‍સફર પણ કરી દીધા છે. આ અંગે સેલવાસ પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યો છે.

Related posts

દાદરાની હોટલ એક્‍સેલેન્‍સીમાં માલિકની હાજરીમાં વેઈટરોએ એક ગ્રાહકને માર મારવાની બનેલી ઘટના

vartmanpravah

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

vartmanpravah

મુરદડ ગામમાં સાવિત્રીબાઈ ફૂલે અનાથ બાળકો માટે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘રોબોએજ પ્રોગ્રામ’ અંતર્ગત યોજાનારી ‘‘રોબોટેક્‍સ આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશીપ-2024”માં સંઘપ્રદેશના 5 વિદ્યાર્થીઓ ભાગ લેશે

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત મિસ.વિધિ વાઘેલા દ્વારા ‘‘ઇન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં આયુષ્‍માન કાર્ડમાં આવતી ભૂલો આયુષ્‍માન એપમાં સુધારો ન થતાં લાભાર્થીઓને લાભથી વંચિત રહેવાની નોબત

vartmanpravah

Leave a Comment