April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

વડાપ્રધાન વાપીમાં આવાસ યોજનાના લાભાર્થી સાથે વર્ચ્‍યુઅલ સંવાદ પણ કરશે

જિલ્લાના 99 ગામોના લાભાર્થીઓને મળશે પોતાનું ઘર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: રાજ્‍ય સરકારના નેતૃત્‍વ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિ તેમજ મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેઆજે 10 ફેબ્રુઆરી, 2024ના રોજ કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકારની અમલીકળત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા), પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્‍યના 33 જિલ્લાઓમાં અંદાજિત 1,27,000 આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત આજરોજ વલસાડ જિલ્લામાં પાંચેય વિધાનસભા મત વિસ્‍તારોના કુલ 327 ગામોમાં 4932 જેટલા આવાસોનું પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ચ્‍યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. વાપીના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે વન ટુ વન સંવાદ કરશે.
જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારો મુજબ 180 પારડી વિધાનસભા મતવિસ્‍તારમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી અને ધારાસભ્‍યશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી તાલુકાની કુમાર પ્રાથમિક શાળા ખાતે 29 ગામોના 336, 178 ધરમપુર વિધાનસભા મત વિસ્‍તારમાં ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ધરમપુર તાલુકામાં વનરાજ કોલેજની પાછળના મેદાન, બામટી ખાતે 99 ગામોના 2038, 179 વલસાડ વિધાનસભા મત વિસ્‍તારમાં ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વલસાડની એપીએમસી માર્કેટ ધમડાચી ખાતે 40 ગામોના 309, 181 કપરાડા વિધાનસભા મત વિસ્‍તારમાંધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્‍થિતિમાં કપરાડાના કોમ્‍યુનિટી હોલના મેદાન ખાતે 115 ગામોના 1634 તેમજ 182 ઉમરગામ વિધાનસભા મત વિસ્‍તારમાં ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્‍થિતિમાં ઉમરગામના ધોડીપાડા સાંસ્‍કળતિક હોલ ખાતે 44 ગામોના 615 મળી વિવિધ આવાસ યોજનાના કુલ 4932 આવાસોનું પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી વર્ચ્‍યુઅલ લોકાર્પણ કરશે.

Related posts

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

કુકેરી ગામે અજાણ્‍યા વાહન ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ ચાલક નિવૃત શિક્ષકનું મોત

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

તા.૪થી જૂને નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ખાતે પેન્‍શન અદાલત યોજાશે

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

vartmanpravah

Leave a Comment