April 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

આરોપીની ધરપકડઅને તમામ રકમ જપ્ત કરવા પણ મળેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાનહના રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય અભિયાન વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર અધિકારી વિભાગમાંથી દર મહિને અપાતા કર્મચારીઓના પગાર આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેના કારણે એણે એવા કર્મચારીઓના પગારમાંથી રકમ ચાઉં કરવાની શરૂઆત કરી હતી કે જે કર્મચારીઓ નોકરી છોડી ચાલી ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર નેશનલ હેલ્‍પ મિશન (એનએચએમ) વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર સાહિલ ઉદય પરમાર જે કર્મચારીઓના પગારમાંથી પૈસા છેતરપીંડી કરી પોતાના બેન્‍ક ખાતામાં નાંખતો હતો. જેની જાણકારી વિભાગના અધિકારીને થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ધરપકડ બાદ પૂછપરછ દરમ્‍યાન સાહિલે જણાવ્‍યું હતું કે, એના પગારનું બેન્‍ક એકાઉન્‍ટ એચડીએફસી બેંકમાં છે પરંતુ એના બીજા પણ બે એકાઉન્‍ટ ખોલી રાખ્‍યા હતા. એક બેન્‍ક ઓફ બરોડા અને બીજું એક્‍સિસ બેંકમાં હતું. આ બન્ને એકાઉન્‍ટમાં એણે નોકરી છોડી ગયેલ કર્મચારીઓના પગાર ટ્રાન્‍સફર કર્યા હતા. જેની કુલ રકમ 42.50 લાખ રૂપિયા હતી.
પોતાના એકાઉન્‍ટમાં 42.50 લાખ રૂપિયા આવી ગયા બાદ 14 ઓગસ્‍ટના દિને પોતાના પદ પરથી રાજીનામુ આપ્‍યું હતુંઅને કેનેડા ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. જે દરમ્‍યાન ડિપાર્ટમેન્‍ટને એના આ ગોટાળાની ખબર પડી ત્‍યારે એકાઉન્‍ટન્‍ટ સાહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ અંગે પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે નેશનલ હેલ્‍થ મિશન (એનએચએમ) દાદરા નગર હવેલીની ફરિયાદ બાદ એની વિરુદ્ધ આઇપીસી 409 અને 420 મુજબ ગુનો નોંધી સાહિલની વાપી સ્‍થિત હરિયા પાર્કમાં એના ફલેટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ત્‍યારબાદ સાહિલને કોર્ટમાં રજૂ કરાતા ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપવામાં આવ્‍યા હતા. જે દરમ્‍યાન પોલીસે એના એકાઉન્‍ટમાંથી રૂા.42.50 લાખ જપ્ત કર્યા હતા અને ડિપાર્ટમેન્‍ટમાં ટ્રાન્‍સફર પણ કરી દીધા છે. આ અંગે સેલવાસ પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યો છે.

Related posts

ઉમરગામ બાળકી દુષ્‍કર્મ ઘટના અંગે અફવાથી દૂર રહેવાની પોલીસની અપીલ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસ સ્‍થાને લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

vartmanpravah

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વન વિભાગ દ્વારા દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં 105 જેટલા ફણસનાવૃક્ષોનું કરેલું રોપણ

vartmanpravah

Leave a Comment