March 2, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

આરોપીની ધરપકડઅને તમામ રકમ જપ્ત કરવા પણ મળેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાનહના રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય અભિયાન વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર અધિકારી વિભાગમાંથી દર મહિને અપાતા કર્મચારીઓના પગાર આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેના કારણે એણે એવા કર્મચારીઓના પગારમાંથી રકમ ચાઉં કરવાની શરૂઆત કરી હતી કે જે કર્મચારીઓ નોકરી છોડી ચાલી ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર નેશનલ હેલ્‍પ મિશન (એનએચએમ) વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર સાહિલ ઉદય પરમાર જે કર્મચારીઓના પગારમાંથી પૈસા છેતરપીંડી કરી પોતાના બેન્‍ક ખાતામાં નાંખતો હતો. જેની જાણકારી વિભાગના અધિકારીને થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ધરપકડ બાદ પૂછપરછ દરમ્‍યાન સાહિલે જણાવ્‍યું હતું કે, એના પગારનું બેન્‍ક એકાઉન્‍ટ એચડીએફસી બેંકમાં છે પરંતુ એના બીજા પણ બે એકાઉન્‍ટ ખોલી રાખ્‍યા હતા. એક બેન્‍ક ઓફ બરોડા અને બીજું એક્‍સિસ બેંકમાં હતું. આ બન્ને એકાઉન્‍ટમાં એણે નોકરી છોડી ગયેલ કર્મચારીઓના પગાર ટ્રાન્‍સફર કર્યા હતા. જેની કુલ રકમ 42.50 લાખ રૂપિયા હતી.
પોતાના એકાઉન્‍ટમાં 42.50 લાખ રૂપિયા આવી ગયા બાદ 14 ઓગસ્‍ટના દિને પોતાના પદ પરથી રાજીનામુ આપ્‍યું હતુંઅને કેનેડા ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. જે દરમ્‍યાન ડિપાર્ટમેન્‍ટને એના આ ગોટાળાની ખબર પડી ત્‍યારે એકાઉન્‍ટન્‍ટ સાહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ અંગે પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે નેશનલ હેલ્‍થ મિશન (એનએચએમ) દાદરા નગર હવેલીની ફરિયાદ બાદ એની વિરુદ્ધ આઇપીસી 409 અને 420 મુજબ ગુનો નોંધી સાહિલની વાપી સ્‍થિત હરિયા પાર્કમાં એના ફલેટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ત્‍યારબાદ સાહિલને કોર્ટમાં રજૂ કરાતા ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપવામાં આવ્‍યા હતા. જે દરમ્‍યાન પોલીસે એના એકાઉન્‍ટમાંથી રૂા.42.50 લાખ જપ્ત કર્યા હતા અને ડિપાર્ટમેન્‍ટમાં ટ્રાન્‍સફર પણ કરી દીધા છે. આ અંગે સેલવાસ પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યો છે.

Related posts

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

સેલવાસમાં એટીએમમાં કાર્ડ ફસાઈ ગયા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસ ફરિયાદ

vartmanpravah

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

દાનહમાં01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

vartmanpravah

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment