October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતદમણદીવદેશ

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.06 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્‍યકાળ દરમિયાન પાકિસ્‍તાની જેલમાં કેદ દમણ-દીવ સહિત સમગ્ર ભારતના માછીમારોને છોડાવવા બુલંદ રજૂઆત કરી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ દરિયા કાંઠામાં વસેલો પ્રદેશ છે. જ્‍યાં માછીમારી એ લોકો માટે રોજગારનું મહત્ત્વનું સાધન છે. મોટાભાગના માછીમારો અશિક્ષિત અને તેમને દરિયાઈ સીમાઓનું જ્ઞાન હોતું નથી. જેના કારણે દરિયામાં માછીમારી કરતા સમયે તેઓ અકસ્‍માતે પડોશી દેશ પાકિસ્‍તાનની સરહદમાં પહોંચી જાય છે અને પાકિસ્‍તાનના સત્તાવાળાઓ પાકિસ્‍તાનની જેલમાં સબડતા માછીમારો જોડે અમાનવીય અને નિર્દયી વર્તાવ કરતા હોવાની માહિતી પણ લોકસભાને આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પાકિસ્‍તાનની જેલમાં માછીમારોની હાલત ખુબ જ ખરાબછે અને તેમાંના ઘણાં વૃદ્ધ અને બિમાર માછીમારો છે. તેમને અનેક યાતનાઓ અને પીડાઓ ભોગવવા પડી રહી હોવાની વેદના પાકિસ્‍તાની જેલમાં બંધ માછીમારોએ તેમના ઘરે લખેલા પત્રમાં વ્‍યક્‍ત કરી છે. તેથી દમણ-દીવ સહિત સમગ્ર દેશના માછીમારોને મુક્‍ત કરાવવા તેમણે માંગણી કરી હતી.

Related posts

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

ગુજરાત રાજ્‍યનો મેગા પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ ઝોન-4, નોડલ -4 વલસાડ ખાતે 18 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment