April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જીલ્લા પોલીસના સલાહસુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર પારડી ચાર રસ્‍તા પૂલ નીચે નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું ત્‍યાર બાદ પોસ્‍ટર અને બેનર લઈ નારા લગાવી રેલી કાઢી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. સડક સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘનના કારણે રોજબરોજ વાહન અકસ્‍માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્‍યાના નિવારણ માટે અને લોકોમાં નવજાગૃતિ લાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક દ્વારા સુંદર સંદેશ આપવામાં આવ્‍યો. આજની યુવા પેઢીમાં વ્‍યસન કરવું એક ફેશન બની ગયું છે. જેને કારણે આજનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે એ બાબતને ધ્‍યાનમાં લઈ બીજું નુક્કડ નાટક વ્‍યસન મુક્‍તિ પર કરવામાં આવ્‍યું. તેમાં સંદેશો આપવામાં આવ્‍યો કે વ્‍યસનના કારણે ઘણા પ્રકારના રોગો થાય છે અને મૃત્‍યુદર પણ વધી રહ્યો છે આ સમસ્‍યાનું નિવારણ કરવા માટે વ્‍યાસન મુક્‍તિ કેન્‍દ્રની મુલાકાત લેવાનું જણાવવામાં આવ્‍યું. આ કાર્યક્રમની સફળતામાં પારડી પોલીસનો પણ સારો સહકાર મળ્‍યો. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું હતું.

Related posts

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

સુરત જિલ્લાના કર્મવીર કેપ્‍ટન (ડૉ.) એ.ડી.માણેકે સર્જ્‍યો વિશ્વ વિક્રમ ‘‘વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ” લંડન-યુ.કે.માં કેપ્‍ટન ડૉ. એ.ડી.માણેક દ્વારા સ્‍થપાયેલ ધ સ્‍કાયલાઈન એવીએશન ક્‍લબને મળેલું સ્‍થાન

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી  “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

vartmanpravah

Leave a Comment