(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16:
દાનહમાં આજરોજ નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.પ્રદેશમાં હાલમાં 04 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 5905 કેસ રીકવર થઈ ચૂકયા છે, અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 231 નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ એન્ટિજન 330 નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું રસીકરણ કરવામા આવ્યું હતું. જેમાં આજે 3326 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 3,72,128 અને બીજો ડોઝ 89,567 વ્યક્તિઓને આપવામાં આવતા કુલ 4,61,695 લોકોને વેક્સીન આપવામા આવી છે.