April 26, 2024
Vartman Pravah
સેલવાસ

દાનહમાં ગુરૂવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16:

દાનહમાં આજરોજ નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.પ્રદેશમાં હાલમાં 04 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5905 કેસ રીકવર થઈ ચૂકયા છે, અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 231 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજન 330 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનું રસીકરણ કરવામા આવ્‍યું હતું. જેમાં આજે 3326 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 3,72,128 અને બીજો ડોઝ 89,567 વ્‍યક્‍તિઓને આપવામાં આવતા કુલ 4,61,695 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પરેડ યોજાઈ

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

દાનહના પૂર્વ બહુજન મુક્‍તિ પાર્ટી લોકસભાના ઉમેદવાર પ્રવિણ જનાથિયાએ બાંધેલી કોંગ્રેસની કંઠી

vartmanpravah

Leave a Comment