Vartman Pravah
દીવ

રાષ્‍ટ્રીય પોષણ માહ અંતર્ગત દીવમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોને સ્‍તનપાન અંગેની તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ અને પ્રશાસન દ્વારા કાર્યરત સોશિયલ વેલ્‍ફેર વિભાગના સોશિયલ વેલ્‍ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી શ્રી જતિન ગોયલનાં દિશા-નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત પોષણ અભિયાન દીવ દ્વારા સપ્‍ટેમ્‍બર-2021ને ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ તા 16/09/2021ના દિવસે બાલવિકાસ પરિયોજના અધિકારી શ્રી કાર્યાલય ખાતે ખાસ નવજાત શિશુઓ માટે ડો.જાગળતિ સોલંકી દ્વારા ત્‍ળ્‍ઘ્‍જ્‍ (કેવલ સ્‍તનપાન)અંગેની તાલીમ આંગણવાડી કાર્યકર્તા બહેનોને આપવામાંઆવી હતી.
જેમાં નવજાત શિશુને જન્‍મબાદ પ્રથમ કલાકમાં માત્ર માતાનું પહેલું પીળું ઘટ દુધ આપવું જોઈએ. આ દુધથી બાળકની રોગ પ્રતિકારક શક્‍તિમાં વધારો થાય છે. માતાનું દુધ બાળક માટે પહેલું રસીકરણ છે. પ્રથમ કલાકમાં શિશુને સ્‍તનપાન કરાવવાથી શરીરને ઠંડુ પડતું અટકાવી શકાય છે. તેમજ સ્‍તનપાન માટેના કોઈ વિકલ્‍પ માત્ર એક જ સંકલ્‍પ, ‘બાળક માટે સ્‍તનપાનએ જ અમળતપાન’ ના સુત્રથી તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઉજવણી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના બાલવિકાસ પરીયોજના અધિકારી શ્રીમતિ ગાયત્રી આર. જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનનાં ડિસ્‍ટ્રિક્‍ટ કોઓડીનેટર શ્રી ચિરાગભાઈ શાહ, બ્‍લોક -કોર્ડિનેટર કળતિકા ચુડાસમાનાઓએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવ્‍યો હતો.
આ અવસરે જિલ્લા સમન્‍વયક શ્રી દેવાંગ પારકરા અને જિલ્લા સમન્‍વયર દીપા વાજા, દીવ મહિલા શક્‍તિ કેન્‍દ્ર વિભાગ તેમજ અશ્વિનીબેન સોલંકી વન સ્‍ટોપ સેન્‍ટરનાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોવિદ-19ને ધ્‍યાનમાં રાખી દરેક નિયમોનું પાલન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ લાયન્‍સ અંગ્રેજી માધ્‍યમ શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

સેલવાસમાં ડિજિટલ હાઉસ અરેસ્‍ટ ફ્રોડનો પ્રથમ કેસ વીડિયો કોલ પર ત્રણ દિવસમાં 15 લાખથી વધુની છેતરપિંડીમાં બે આરોપી ઝડપાયા

vartmanpravah

વહીવટદાર કરણજીત વાડોદરિયાના અધ્‍યક્ષસ્‍થાને દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી 7મી વાર્ષિક સામાન્‍ય સભા

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દમણના અરબી સમુદ્ર કિનારે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વનો ઉત્તર ભારતીયોએ કરેલો જયઘોષ

vartmanpravah

Leave a Comment