Vartman Pravah
દીવ

રાષ્‍ટ્રીય પોષણ માહ અંતર્ગત દીવમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોને સ્‍તનપાન અંગેની તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ અને પ્રશાસન દ્વારા કાર્યરત સોશિયલ વેલ્‍ફેર વિભાગના સોશિયલ વેલ્‍ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી શ્રી જતિન ગોયલનાં દિશા-નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત પોષણ અભિયાન દીવ દ્વારા સપ્‍ટેમ્‍બર-2021ને ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ તા 16/09/2021ના દિવસે બાલવિકાસ પરિયોજના અધિકારી શ્રી કાર્યાલય ખાતે ખાસ નવજાત શિશુઓ માટે ડો.જાગળતિ સોલંકી દ્વારા ત્‍ળ્‍ઘ્‍જ્‍ (કેવલ સ્‍તનપાન)અંગેની તાલીમ આંગણવાડી કાર્યકર્તા બહેનોને આપવામાંઆવી હતી.
જેમાં નવજાત શિશુને જન્‍મબાદ પ્રથમ કલાકમાં માત્ર માતાનું પહેલું પીળું ઘટ દુધ આપવું જોઈએ. આ દુધથી બાળકની રોગ પ્રતિકારક શક્‍તિમાં વધારો થાય છે. માતાનું દુધ બાળક માટે પહેલું રસીકરણ છે. પ્રથમ કલાકમાં શિશુને સ્‍તનપાન કરાવવાથી શરીરને ઠંડુ પડતું અટકાવી શકાય છે. તેમજ સ્‍તનપાન માટેના કોઈ વિકલ્‍પ માત્ર એક જ સંકલ્‍પ, ‘બાળક માટે સ્‍તનપાનએ જ અમળતપાન’ ના સુત્રથી તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઉજવણી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના બાલવિકાસ પરીયોજના અધિકારી શ્રીમતિ ગાયત્રી આર. જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનનાં ડિસ્‍ટ્રિક્‍ટ કોઓડીનેટર શ્રી ચિરાગભાઈ શાહ, બ્‍લોક -કોર્ડિનેટર કળતિકા ચુડાસમાનાઓએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવ્‍યો હતો.
આ અવસરે જિલ્લા સમન્‍વયક શ્રી દેવાંગ પારકરા અને જિલ્લા સમન્‍વયર દીપા વાજા, દીવ મહિલા શક્‍તિ કેન્‍દ્ર વિભાગ તેમજ અશ્વિનીબેન સોલંકી વન સ્‍ટોપ સેન્‍ટરનાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોવિદ-19ને ધ્‍યાનમાં રાખી દરેક નિયમોનું પાલન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં તા.29 થી 31 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકાસલક્ષી અભિગમ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી સંઘપ્રદેશ એજ્‍યુકેશન હબ બનવા તરફ અગ્રેસરઃ પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, ફેશન, આઈ.ટી., લો જેવા વિશ્વ સ્‍તરના અભ્‍યાસક્રમનો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘‘બાળ લગ્ન મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત પંચાયતો, શાળાઓ અને કાર્યાલયોમાં જનજાગૃતિ રેલી, મશાલ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

Leave a Comment