October 14, 2025
Vartman Pravah
Breaking Newsદીવસેલવાસ

દાનહ-રખોલી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
દાદરા નગર હવેલીના રખોલી હાયર સેકન્‍ડરી શાળા પરિસરમાં રખોલી અને સુરંગી શાળાના સંયુક્‍ત ધોરણ 10 અને બારના બાળકો માટે માતૃ-પિતૃ વંદન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્‍યુ હતું. જેનું ઉદ્‌ઘાટન મહેમાનોના હસ્‍તે દીપપ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. બાદમા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા. ત્‍યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા માતૃ-પિતૃ વંદન કરવામા આવ્‍યુ હતુ.
પ્રયોશા સંસ્‍થાના સંચાલક શ્રી પી.પી.સ્‍વામીએ ઉપસ્‍થિત બાળકો અને વાલીઓને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, જીવનની પૂર્ણતા ત્‍યારે છે, જયારે શિક્ષણ સાથે સંસ્‍કારનુ સંગમ હોય અગર સંસ્‍કાર નહિ હોય તો શિક્ષણ નિરાધાર હોય છે અને માતૃ-પિતૃ વંદન જેવા કાર્યક્રમના માધ્‍યમ દ્વારા બાળકોમા સંસ્‍કારનું સંચાર થઇ શકે છે. કારણકે જ્‍યાં સુધી કોઈ વિદ્યાર્થી પોતાના માતા – પિતાને વંદન અથવા સન્‍માન નહી કરી શકે તે સમાજમા કોઈપણ વ્‍યક્‍તિનું સન્‍માન નહી કરી શકે,જેથી દિવસની શરૂઆત પ્રથમ ગુરુના રૂપે માતાપિતા જ હોવા જોઈએ.જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિપક પ્રધાને પણ શિક્ષણ સાથે બાળકોમા સંસ્‍કાર આપવા માટે માતા – પિતાને આહવાન કર્યું હતુ.
આ અવસરે પ્રયોશા સંસ્‍થાના સંચાલક શ્રી પી.પી.સ્‍વામી, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિપક પ્રધાન, સરપંચ શ્રી ચંદન પટેલ, શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, શ્રી ગૌરાંગ વોરા, શાળાના આચાર્ય શ્રી સુરેન્‍દ્રસિંહ દેસાઈ, શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડની ચણવઈ પીએચસીમાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસ કેમ્પ યોજાયો

vartmanpravah

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

vartmanpravah

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી દમણની મરવડ હોસ્‍પિટલને જિલ્લા હોસ્‍પિટલમાં રૂપાંતરિત કરી 300 બેડની હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય શરૂ

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપની વેસ્‍ટનો ગેરકાયદે નિકાલ કરવામાં અગ્રેસરઃ તપાસનો વિષય

vartmanpravah

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્‍યકક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાઈ, 160 સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

Leave a Comment