April 27, 2024
Vartman Pravah
Breaking Newsદીવસેલવાસ

દાનહ-રખોલી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
દાદરા નગર હવેલીના રખોલી હાયર સેકન્‍ડરી શાળા પરિસરમાં રખોલી અને સુરંગી શાળાના સંયુક્‍ત ધોરણ 10 અને બારના બાળકો માટે માતૃ-પિતૃ વંદન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્‍યુ હતું. જેનું ઉદ્‌ઘાટન મહેમાનોના હસ્‍તે દીપપ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. બાદમા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા. ત્‍યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા માતૃ-પિતૃ વંદન કરવામા આવ્‍યુ હતુ.
પ્રયોશા સંસ્‍થાના સંચાલક શ્રી પી.પી.સ્‍વામીએ ઉપસ્‍થિત બાળકો અને વાલીઓને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, જીવનની પૂર્ણતા ત્‍યારે છે, જયારે શિક્ષણ સાથે સંસ્‍કારનુ સંગમ હોય અગર સંસ્‍કાર નહિ હોય તો શિક્ષણ નિરાધાર હોય છે અને માતૃ-પિતૃ વંદન જેવા કાર્યક્રમના માધ્‍યમ દ્વારા બાળકોમા સંસ્‍કારનું સંચાર થઇ શકે છે. કારણકે જ્‍યાં સુધી કોઈ વિદ્યાર્થી પોતાના માતા – પિતાને વંદન અથવા સન્‍માન નહી કરી શકે તે સમાજમા કોઈપણ વ્‍યક્‍તિનું સન્‍માન નહી કરી શકે,જેથી દિવસની શરૂઆત પ્રથમ ગુરુના રૂપે માતાપિતા જ હોવા જોઈએ.જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિપક પ્રધાને પણ શિક્ષણ સાથે બાળકોમા સંસ્‍કાર આપવા માટે માતા – પિતાને આહવાન કર્યું હતુ.
આ અવસરે પ્રયોશા સંસ્‍થાના સંચાલક શ્રી પી.પી.સ્‍વામી, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિપક પ્રધાન, સરપંચ શ્રી ચંદન પટેલ, શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, શ્રી ગૌરાંગ વોરા, શાળાના આચાર્ય શ્રી સુરેન્‍દ્રસિંહ દેસાઈ, શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

થાલા હત્‍યા પ્રકરણમાં આરોપીની બહેનના પ્રેમ લગ્નમાં મદદ કરવા અંગેની અદાવત રાખી મિત્રો સાથે કરાયેલો હુમલો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રીની સૂચિત સેલવાસ-દમણ મુલાકાતના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળેલી બેઠક : પ્રધાનમંત્રીશ્રીના ઋણ સ્‍વીકાર માટે થનગની રહેલો સંઘપ્રદેશ

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને, ‘મલ્‍ટી પોસ્‍ટ મલ્‍ટી વોટ’ ઈવીએમનું ફર્સ્‍ટ લેવલ ચેકિંગ

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

Leave a Comment