Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

દલવાડા તળાવ ઊંડું હોવાના કારણે છઠ્ઠ પૂજા માટે અસુરક્ષિત જાહેર કરાયું: જિલ્લા પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા 3 સ્‍થળો સિવાય અન્‍ય કોઈ સ્‍થળોએ જો કોઈપણ પૂજા વિધિ કરશે તો તેમની સામે જિલ્લા વહીવટી તંત્ર ભારે દંડ ફટકારવા સાથે કાયદાકીય કાર્યવાહી પણ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : આવતી કાલે ઉત્તર ભારતીયો ખાસ કરીને બિહાર -ઝારખંડ અને ઉત્તર પ્રદેશ રાજ્‍યના લોકોનો મુખ્‍ય તહેવાર એવા છઠ્ઠ પૂજાની ઉજવણી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કરવામાં આવશે. આ છઠ્ઠ પૂજાની વિધિ માટે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા કેટલાક સ્‍થળો નક્કી કરાયા છે. જેમાં (1)પરકોટા શેરી બીચ (2) કડૈયા બીચ અને (3) દાભેલ તળાવ. જ્‍યારે દલવાડા તળાવ ઊંડું હોવાના કારણે અહીં છઠ્ઠ પૂજા માટે અસુરક્ષિત જાહેર કરાયું છે. તેથી પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા ત્રણ સ્‍થળોએ જ ભાવિક ભક્‍તોએ છઠ્ઠ પૂજાની વિધિ કરવાની રહેશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં આવતી કાલ તા.7મી નવેમ્‍બરના રોજ બિહાર, ઝારખંડ, યુ.પી. સહિતના ઉત્તર ભારતીય લોકો દ્વારા તેમના મુખ્‍ય તહેવાર છઠ્ઠ પૂજાની ઉજણવી કરવામાં આવનાર છે. જેને ધ્‍યાનમાં રાખી દમણ જિલ્લા પ્રશાસને છઠ્ઠ પૂજાવિધિ માટે ત્રણ સ્‍થળોની ફાળવણી કરવામાં જેમાં (1)પરકોટા શેરી બીચ (2) કડૈયા બીચ અને (3) દાભેલ તળાવ. આ સ્‍થળોએ જ પૂજા વિધિ કરવાની રહેશે અને જો કોઈ પણ નક્કી કરવામાં આવેલા સ્‍થળો સિવાય અન્‍ય કોઈ સ્‍થળોએ ગયા તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનું પ્રશાસન દ્વારા જણાવાયું છે. તેથી તમામ નાગરિકોને અનુરોધ છે કે જિલ્લા પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા સ્‍થળોએ જ છઠ્ઠ પૂજા કરે અને નિયમોનું પાલન કરે તથા પૂજા સ્‍થળો પર કચરો ન ફેલાવે, કચરા માટે ઉપલબ્‍ધ ડસ્‍ટબિનનો ઉપયોગ કરે, પાણીમાં પ્‍લાસ્‍ટિક, રસાયણ કે અન્‍ય કોઈપણ પ્રકારની પ્રદૂષક સામગ્રી ન નાંખે, પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષા માટે પર્યાવરણ હિતૈષી વિકલ્‍પોનો પ્રયોગ કરે. નિયમોનું પાલન નહીં કરનારા ઉપર જિલ્લા પ્રશાસન દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાશે અને દંડ પણ ફટકારવામાં આવશે. એમ દમણ જિલ્લા પ્રાદેશિક પ્રચાર અધિકારી શ્રી પ્રિયાંશુ સિંહની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

પ્રદેશમાં નવા રોકાણકારોને આકર્ષવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના 70થી વધુ ઉદ્યોગોને સબસીડી સહાય પુરી પાડવા લીધેલો મહત્‍વનો નિર્ણય

vartmanpravah

કપરાડા તાલુકાના ઓઝરડા ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે બાળકોને પતંગ, દોરી અને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

ઉમરસાડીની 19 વષીય યુવતી ગુમ : કોલેજ તથા કોમ્‍પ્‍યુટર કલાસમાં જવા નીકળેલ યુવતી ઘરે પરત નહી ફરતા માતાએ નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

વલસાડના અટક પારડી પાસે ગઠીયો પોલીસવાળો છું તેવું કહી બાઈકમાં લિફટ લઈને લેપટોપ સેરવી ગયો

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

vartmanpravah

Leave a Comment