March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ચેક રિટર્ન થવાના ગુના હેઠળ દમણ-દેવકાની પ્રતિષ્‍ઠિત હોટલ સી-રોક ઈનના માલિક જયશ્રી હર્ષદ પટેલ અને સંચાલક હર્ષદભાઈ પટેલને 6 મહિનાનીકેદની સજા

નાની દમણના વાપી-કુંતા રોડ સોમનાથ ખાતે આવેલ મેસર્સ શ્રી ગાયત્રી ટ્રેડર્સ પાસે ખરીદેલી સિમેન્‍ટ અને સ્‍ટીલના રૂા.રૂા.27 લાખ 87 હજાર 960ના આપેલા વિવિધ ચેકો રિટર્ન થયા બાદ પૈસાની ચુકવણી નહીં કરતાં દમણના જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટક્‍લાસ શ્રીમતી એસ. એન. સવાલેશ્વરકરે આપેલો ચુકાદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દમણ-દેવકાની પ્રતિષ્‍ઠિત ગણાતી હોટલ સી-રોક ઈનના માલિક-સંચાલક જયશ્રી હર્ષદભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલને ચેક રિટર્ન થવાના ગુનામાં નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ એક્‍ટ-1881 અંતર્ગત દોષિત ઠેરવી દમણના જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ શ્રીમતી એસ. એન. સવાલેશ્વરકરે દોષિત ઠેરવી 6 મહિનાની જેલ અને રૂા.55 લાખ 75 હજાર 920નું કમ્‍પેનશેસન એક મહિનાની અંદર ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાની દમણના વાપી કુંતા રોડ, સોમનાથ ખાતે આવેલ શ્રી ગાયત્રી ટ્રેડર્સ પાસે ખરીદેલી સિમેન્‍ટના આરોપી હોટલ સી-રોક ઈનના માલિક જયશ્રીબેન હર્ષદભાઈ પટેલ અને સંચાલક હર્ષદભાઈ પટેલે રૂા.27 લાખ 87 હજાર 960ના અલગ અલગ ચેકો પોતાના હિસાબના પતાવટ રૂપે આપ્‍યા હતા. ફરિયાદીએ બેંકમાં જમા કરતાં તે રિટર્ન થતાં નામદાર અદાલત પાસે દાદ માંગી હતી. જેના અનુસંધાનમાંજ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ શ્રીમતી એસ. એન. સવાલેશ્વરકરે આરોપી જયશ્રી હર્ષદભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલને 6 મહિનાની જેલ અને રૂા.55 લાખ 75 હજાર 920નું કમ્‍પેનશેસન એક મહિનાની અંદર ચુકવવાનો આદેશ કર્યો છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે

vartmanpravah

વલસાડમાં ભીખ માંગવા બાળકોને લઈ આવેલી છ મહિલાઓ સિફતથી ઘરમાં ઘુસી 3 લાખના ઘરેણાં ચોરી ગઈ

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણ સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં નવા વકીલોને આપવામાં આવેલીતાલીમ

vartmanpravah

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah

Leave a Comment