October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

ડો.વિમુખ પટેલે ભારતીય સંસ્‍કૃતિ, હિન્‍દી સાહિત્‍યને રાષ્‍ટ્રિય સ્‍તરે ઉજાગર કર્યું છે : અન્‍ય ત્રણ એવોર્ડ રાષ્‍ટ્રિય સ્‍તરે તેઓ અગાઉ મેળવી ચૂક્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના ધોધડકુવા ગામ વતની અને આદિવાસી લેખક-સાહિત્‍યકાર પ્રો.ડો.વિમુખ પટેલ હાલમાં આર.કે. દેસાઈ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં સાહિત્‍ય ક્ષેત્રને ગણમાન્‍ય એવો કબીર કોહિનુર એવોર્ડ એનાયત થયો છે.
પ્રો.ડો.વિમુખ પટેલના 15 રિસર્ચ લેખ અને બે પુસ્‍તકો પણ પ્રકાશિત થયેલા છે. આ એવોર્ડ પહેલા અગાઉ પણ તેમને રાષ્‍ટ્રિય સ્‍તરે ભારતીય સંસ્‍કૃતિ હિન્‍દી સાહિત્‍યની સેવા અને સર્જન માટે ત્રણ એવોર્ડ મળેલા છે. સાહિત્‍ય જગતમાં તેમનું અઢળક યોગદાન રહ્યું છે. તેમના લેખન-સર્જનને ધ્‍યાને લઈને ન્‍યુ દિલ્‍હી ખાતે તેમનું રાષ્‍ટ્રિય કબીર કોહિનુર એવોર્ડ આપી સન્‍માન કરાયું છે. સાહિત્‍ય ક્ષેત્રેની વિશિષ્‍ટ પ્રતિભાના ધની-સાહિત્‍યકારને મળેલી આ જ્‍વલંત સિધ્‍ધિ કેન્‍દ્રીયકેબિનેટ મંત્રી સી.આર. ચૌધરી, ભારત સરકાર વિશ્વ શાંતિદૂત ડો.લોકેશ મુનીજી મહારાજ, નિર્દેશક લંડન કૌશલ વિકાસ સંગઠન યુ.કે. ડૌ.પરિન સોમાની સહિત જિલ્લા વહિવટી તંત્ર, શિક્ષણ જગત અને આદિવાસી સમાજે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ અભિયાન અંતર્ગત દમણમાં વિવિધ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના સ્‍થાપના દિવસનું કરાયેલું આયોજન

vartmanpravah

‘જળ શક્‍તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અંતર્ગત કેન્‍દ્રના નાણાં મંત્રાલયના નિર્દેશક અને સેન્‍ટ્રલ નોડલ ઓફિસર(સીએનઓ) સુશીલ કુમાર સિંઘે દાનહમાં ઉપલબ્‍ધ વિવિધ જળસ્રોતોની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

સંઘપ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આભાર સાથે વ્‍યક્‍ત કરેલી કૃતજ્ઞતા

vartmanpravah

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

vartmanpravah

Leave a Comment