Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નાસિક જતી મહારાષ્‍ટ્ર એસ.ટી. બસનો અંભેટી પાસે અકસ્‍માત સર્જાયોઃ 35 મુસાફરોનો જીવ પડીકે બંધાયો

બસ રોડના ખાડામાં પટકાતા સ્‍ટેયરીંગ ફેલ થતા બસ પલટી મારી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ચોમાસા દરમિયાન બેહાલ થયેલા, તૂટી ગયેલા રોડનું ચોમાસુ વિત્‍યા છતાં વહીવટી તંત્ર મરામતની કામગીરી કરી શકેલ નથી. પરિણામે અવારનવાર રોડના ખાડાઓમાં પટકાતા વાહનોના રોજેરોજ અકસ્‍માત થઈ રહ્યા છે તેવો વધુ એક અકસ્‍માત આજે બુધવારે સવારે 6 વાગ્‍યાના સુમારે વાપી-નાસિક રોડ અંભેટી સામે સર્જાયો હતો. મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનની એસ.ટી. મોટા ખાડામાં બસ પટકાતા સ્‍ટેયરીંગ ફેઈલ થતાં બસ ફંગોળાઈને પલટી મારી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બસમાં બેઠેલા 35 જેટલામુસાફરો ચીસાચીસ-બુમાબુમ કરી દીધી હતી. અંતે ઈમરજન્‍સી બારીનો કાંચ તોડી મુસાફરોને બહાર કઢાયા હતા.
વાપી થી નાસિક જતી મહારાષ્‍ટ્ર પરિવહનની એસ.ટી. બસમાં અંભેટીમાં સર્જાયેલા અકસ્‍માતમાં આઠથી દશ મુસાફરો ઘાયલ થતા નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને 108 દ્વારા નાનાપોંઢા સરકારી દવાખાને સારવાર માટે ખસેડયા હતા. અકસ્‍માત બાદ એકઠા થયેલા સ્‍થાનિક લોકોએ બસમાં ફસાયેલા મુસાફરોને ભારે જહેમત કરી બહાર કાઢી સાંત્‍વના આપી હતી. અકસ્‍માતની ગંભીરતા જોતા સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.

Related posts

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

vartmanpravah

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

vartmanpravah

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

તા.01.01.2024 થી અમલમાં આવનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની લોકસભા મતદાર યાદીમાં કોઈ વાંધા-ફરિયાદ માટે 5 ડિસેમ્‍બરે મોટી દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં બેઠક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

Leave a Comment