July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નાસિક જતી મહારાષ્‍ટ્ર એસ.ટી. બસનો અંભેટી પાસે અકસ્‍માત સર્જાયોઃ 35 મુસાફરોનો જીવ પડીકે બંધાયો

બસ રોડના ખાડામાં પટકાતા સ્‍ટેયરીંગ ફેલ થતા બસ પલટી મારી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ચોમાસા દરમિયાન બેહાલ થયેલા, તૂટી ગયેલા રોડનું ચોમાસુ વિત્‍યા છતાં વહીવટી તંત્ર મરામતની કામગીરી કરી શકેલ નથી. પરિણામે અવારનવાર રોડના ખાડાઓમાં પટકાતા વાહનોના રોજેરોજ અકસ્‍માત થઈ રહ્યા છે તેવો વધુ એક અકસ્‍માત આજે બુધવારે સવારે 6 વાગ્‍યાના સુમારે વાપી-નાસિક રોડ અંભેટી સામે સર્જાયો હતો. મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનની એસ.ટી. મોટા ખાડામાં બસ પટકાતા સ્‍ટેયરીંગ ફેઈલ થતાં બસ ફંગોળાઈને પલટી મારી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બસમાં બેઠેલા 35 જેટલામુસાફરો ચીસાચીસ-બુમાબુમ કરી દીધી હતી. અંતે ઈમરજન્‍સી બારીનો કાંચ તોડી મુસાફરોને બહાર કઢાયા હતા.
વાપી થી નાસિક જતી મહારાષ્‍ટ્ર પરિવહનની એસ.ટી. બસમાં અંભેટીમાં સર્જાયેલા અકસ્‍માતમાં આઠથી દશ મુસાફરો ઘાયલ થતા નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને 108 દ્વારા નાનાપોંઢા સરકારી દવાખાને સારવાર માટે ખસેડયા હતા. અકસ્‍માત બાદ એકઠા થયેલા સ્‍થાનિક લોકોએ બસમાં ફસાયેલા મુસાફરોને ભારે જહેમત કરી બહાર કાઢી સાંત્‍વના આપી હતી. અકસ્‍માતની ગંભીરતા જોતા સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.

Related posts

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

ભીલાડ પોલીસ મથકમાં કથિત પત્રકારો સામે ખંડણીની ફરિયાદ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment