July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ઘેજ ગામના છતરીયા ફળિયામાં પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં મટકી ફોડી રાસ ગરબા સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

કર્મ જ માણસને સુખ દુઃખની અનુભૂતિ કરાવે છે જીવન બંધન મુક્‍તિનું કારણ મન છે : કથાકાર દર્શનભાઈ જોષી

મોટી સંખ્‍યામાં ભક્‍તો જોડાઈ ભગવાનનું પારણું ઝુલાવી નંદ ઘર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્‍યું હતું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.10: છતરિયા ફળિયામાં હેતલબેન અને કેતનભાઇ જયંતીભાઈ પટેલના મુખ્ય યજમાન પદે આયોજિત શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી સંગીતમય કથાનું રસપાન કરાવતા ખેરગામ વાળા કથાકાર દર્શનભાઈ દેવુભાઈ જોષી એ કદરમાં ઋષિ અને દેહુતિ ના લગ્ન અને સાંસારિક જીવનનું વર્ણન કરવા સાથે જણાવ્યું હતું કે જેટલા સંસારીઓને પ્રભુ પ્રાપ્ત થયા એટલા સન્યાસીઓને થયા નથી ભગવાન સુધી તમારી ભાષા નહીં પરંતુ તેમાં રહેલો ભાવ પહોંચે છે.કદર્મ ઋષિ અને દેહુતિના ઘરે નવ દીકરીઓ જન્મ લેવાનો પ્રસંગ સાથે તેમણે શ્રવણ કીર્તન ભગવાનનું સ્મરણ પગની સેવા વંદન સંબંધ મિત્રતા સમર્પિત સહિતની નવધા ભક્તિ વિશે સમજાવી જીવનમાં નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી ભગવાનનું પ્રાકટય થતું નથી તેમ જણાવ્યું હતું.
વધુમાં દર્શનભાઈ જોશી એ દરેક ઘરમાં એક દીકરી હોવી જોઈએ ઘરમાં રહેલી દીકરી સોનું છે દીકરી જ પિતાને પ્રેમની અનુભૂતિ કરાવે છે ઘરના આંગણામાં ફળિયામાં મોટી થઈને બધું ત્યાગ કરીને દીકરી પારકા ઘરે જતી હોય છે આવો ત્યાગ હિન્દુસ્તાનની દીકરી જ કરી શકે છે બીજું કોઈ નથી કરી શકતું દેહુતિ અને તેનો દીકરો કપિલ ભગવાન વચ્ચે નો સંવાદ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે કર્મ કોઈને છોડતું નથી દરેકને કર્મ જ સુખ દુઃખની અનુભૂતિ કરાવે છે. જીવન બંધન અને મુક્તિનું કારણ મન જ છે.સાથે તેમણે શક્તિ અનુસાર પોતાના ધર્મનું પાલન શાસ્ત્ર વિરુદ્ધ આચરણ ન કરવું નસીબમાં મળે એમાં સંતોષ રાખવો એ જ સુખી થવાની ત્રણ ચાવી છે.તેમ જણાવ્યું હતું.

Related posts

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

વાપી છીરી જ્ઞાનગંગા સ્‍કૂલમાં તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો: 1000 ઉપરાંત વિદ્યાર્થીઓએ આસ્‍થા સાથે તુલસી પૂજન કર્યું

vartmanpravah

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

vartmanpravah

દમણમાં જેઈઆરસીની લોક સુનાવણીમાં લોકોએ ટોરેન્‍ટ પાવરના વહીવટ ઉપર પાડેલી પસ્‍તાળ

vartmanpravah

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને ચીખલી તાલુકા સેવાસદનમાં યોજાયેલા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણમાં નવ જેટલા પ્રશ્નો રજૂ થયા

vartmanpravah

Leave a Comment