Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંગળવારથી બે દિવસ માટે દમણના કોળી સમાજના હોલમાં વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન

૨૧ અને ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલનારા ઍક્સ્પોમાં ઍક્સપોર્ટ ઓરિઍન્ટેડ ઍકમોને ભારત સરકાર દ્વારા મળતા વિવિધ પ્રોત્સાહનો અને યોજનાઓની પણ અપનારી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૧૯ઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મંગળવારે નાની દમણ ભેેંસરોડ ખાતે આવેલ કોળી સમાજના હોલમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારત સરકારના દિશા-નિર્દેશ હેઠળ વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ સિન્થેટિક ઍન્ડ રેયોન ટેક્સટાઈલ ઍક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ઍસઆરટીઈપીસી) મુંબઈ અને ડાયરેક્ટર જનરલ અોફ ફોરેન ટ્રેડ(ડીજીઍફટી) નવી દિલ્હી આ ઍક્સ્પોમાં ભાગ લઈ ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભ અને ઈન્સેટિવ્સની બાબતમાં જાણકારી આપશે.
વાણિજ્ય ઉત્સવ આયોજન કરવાનો મુખ્ય હેતુ આપણા દેશના ઉત્પાદનો અને સેવાઓની બાબતમાં જાણકારી ફેલાવવી અને નિકાસકર્તા ઍકમોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. ૨૧ અને ૨૨મી સપ્ટેમ્બર સુધી ચાલનારા વાણિજ્ય ઉત્સવમાં વિવિધ ઍક્સ્પોર્ટ યુનિટો ભાગ લઈ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન પણ કરશે.

Related posts

વાપી ચલા ખાતે પ્રમુખ ઓરા સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

vartmanpravah

સામાજિક વ્‍યવહાર પરિવર્તન દ્વારા આરોગ્‍યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડ જિલ્લા તાલીમ કેન્‍દ્ર ખાતે સી.એચ.ઓ.ને તાલીમ અપાઈ

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

…તો ગ્રામ પંચાયતના સરપંચો જ હોળીના નારિયેળ બનશે

vartmanpravah

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

vartmanpravah

Leave a Comment