April 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડના કોસંબા ગામે સોમવારે રાત્રે એક મોબાઈલની બંધ દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનાને લઈ સ્‍થાનિક વિસ્‍તારમાં ભારે ભાગ-દોડ સાથે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
કોસંબા ગામે ગ્રામ પંચાયતની સામે આવેલ ન્‍યુ એસ.કે. મોબાઈલ રિપેરીંગ નામની બંધ દુકાનમાં રાત્રે આગ લાગી હતી. આગના વિકરાળ સ્‍વરૂપને લઈ દુકાનમાં રાખેલ રિપેરીંગના મોબાઈલ સહિત નવા મોબાઈલ અને સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતા સ્‍થાનિક રહીશો દુકાન પાસે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવાના પ્રયત્‍નો કર્યા હતા. અંતે આગ બુઝાઈ ગઈ પણ આગમાં દુકાન ભસ્‍મીભૂત થઈ ચૂકી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવાપામેલ નથી. આગની જાણ બાદ પોલીસ આવી પહોંચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતિમ ચરણમાં ખતલવાડા ગામમાં પહોંચી, રૂ. 32.38 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયું

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

ચેકીન સ્‍પોર્ટ્‍સ એકેડમી ચીખલીના ક્રિકેટરોની નેશનલ કક્ષાએ પસંદગી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

Leave a Comment