July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.05: તા.5-9-2022 ને સોમવાર નાં રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહ ના માર્ગદર્શનમાં આપણાં ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ સ્‍વ.ડો.સર્વપલ્લી રાધાકળષ્‍ણન્‌ની જન્‍મ – જયંતિ નિમિત્તે ‘‘સ્‍વંય શિક્ષક દિવસ” ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમનો શુભારંભ શાળાના પ્રભારી આચાર્ય મીતાબહેન પરમાર, શિક્ષકની ગણ તેમજ સ્‍વયં શિક્ષક બનેલાં વિદ્યાર્થી ગણના વરદહસ્‍તે ડૉ.રાધાકળષ્‍ણની છબી પર ફૂલહાર ચડાવી દીપ પ્રાગટય કરી પુષ્‍પો દ્વારા સ્‍મરણાંજલિ આપી. ત્‍યાર બાદ ધોરણ 12 ની વિદ્યાર્થિની રિદ્ધિ બારડે પ્રવચન આપ્‍યું હતું. એ પછી શાળાના રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા હિન્‍દી સહાયક શિક્ષિકા પ્રતિભાબહેન સ્‍માર્ટ એ રાધાકળષ્‍ણનના જીવન તથા કાર્યો વિશેનો પરિચય આપી સમાજ અને રાષ્‍ટ્રની આધારશિલા રૂપ શિક્ષકના મહત્‍વ વિશેની જાણકારી આપી. ત્‍યાર બાદ વિદ્યાર્થિની બહેનોની લોકગીત તેમજ હેપી ટીચર્સ ડે ગીત પર નૃત્‍યની સુંદર પ્રસ્‍તુતિએ સૌને મંત્ર-મુગ્‍ધ કર્યા. એ પછી આચાર્ય અને શિક્ષક બનેલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએપોતાના વિચારો રજૂ કર્યા.
અંતમાં આભારવિધિ શ્રીમતી મીતાબહેન પરમારે બહેને કરી. તેમજ સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા પ્રતિભાબહેન જી. સ્‍માર્ટ દ્વારા કરવામાં આવ્‍યું. આમ શાળાના સર્વે શિક્ષક ભાઈ-બહેનના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.

Related posts

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment