October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના નગારીયામાં રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્‍તક પરબ ખુલ્લુ મુકાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: સમગ્ર દેશમાં તા.14 થી 20 નવેમ્‍બર સુધી રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. ત્‍યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નગારીયા ગામે પટેલ ફળિયામાં શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિરના સંકુલમાં ધોરાજીની શ્રી પટેલ મહિલા કોલેજના લાઇબ્રેરીયન કમલેશભાઈ પટેલ અને વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજના પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલ દ્વારા આ પુસ્‍તક પરબ શરૂ કરવામાં આવ્‍યું હતું. આ પુસ્‍તક પરબ માટેના પુસ્‍તકો પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલે પોતાની અંગત લાઇબ્રેરીમાંથી દાન પેટે આપ્‍યા હતા. આ પુસ્‍તક પરબમાં સામાયિકો, ધાર્મિક પુસ્‍તકો, બાળવાર્તાઓ, કેરિયરને લગતા પુસ્‍તકો વગેરે છે. જેનો લાભ ફળિયાના અબાલ વૃદ્ધોને મળી રહેશે. આમ, ભક્‍તિ અને જ્ઞાનનો સંગમ દરેક વ્‍યક્‍તિને ચિંતન માટે પ્રેરણા રૂપ બનશે. આ પુસ્‍તક પરબને ફળિયાના વયોવૃદ્ધ વડીલ મગનદાદાના હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવ્‍યું હતું.
આ પુસ્‍તક પરબને ખુલ્લુ મુકતા લાઇબ્રેરીયન કમલેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં પુસ્‍તકોની ઉપયોગતા સમજાવી હતી. પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલે જીવન ઘડતર માટે પુસ્‍તકોનું મૂલ્‍યસમજાવ્‍યું હતું. આ પુસ્‍તક પરબના લોકાર્પણમાં બહોળી સંખ્‍યામાં ભાઈઓ, બહેનો અને બાળકોએ ઉત્‍સાહભેર હાજરી આપી હતી.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

vartmanpravah

Leave a Comment