(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) ચૂંટણીમાં વિજેતા બની ગાંધીનગર પહોંચેલા વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્યો આજે રવિવારે અંબાજી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શપથવિધિ કાર્યક્રમ સોમવારે યોજવાનો હોવાથી પાંચ ધારાસભ્યએ જગત જનની માઁ અંબેની સેવા પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા હતા.