Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરપાલિકા પશ્ચિમ વિભાગના લોકોને પડતી પાણીની સમસ્‍યા ટૂંક જ સમયમાં દૂર થશે

7.50 લાખ લિટરની 30 લાખના ખર્ચે ભૂગર્ભ પાણીની ટાંકી તથા 26 લાખના ખર્ચે પાણીની લાઈન નાખવાની થઈ શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડી નગરપાલિકાના પશ્ચિમ વિભાગમાં આવેલ અને વોર્ડ નંબર એકના કોલેજ પાછળ આવેલ નીલકંઠ સોસાયટી તથા બાલાખાડી સ્‍થિત નવજીવન સોસાયટી અને તેની પાછળ આવેલ આદિવાસી વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી પિવાના પાણીની સમસ્‍યા સતાવી રહી હતી.
વોર્ડ નંબર એકના સદસ્‍ય અને પારડી શહેર ભાજપ પ્રમુખ એવા રાજેશભાઈ પટેલ, ભાવનાબેન ભંડારી અને નયનાબેન પટેલે આ સમસ્‍યા અંગેની રજૂઆત પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈને કરવામાં આવતા તેઓએ આ પીવાના પાણીના પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્‍કાલિક પારડી નગરપાલિકાને આ સમસ્‍યા હલ કરવા જણાવતા આજરોજ આ બંને વિસ્‍તારો સહિત અન્‍ય વિસ્‍તારમાંપારડી નગરપાલિકા દ્વારા પાણી મળી રહે તે માટે 26 લાખના ખર્ચે પાણીની લાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પારડી નગરપાલિકા પヘમિ વિભાગમાં રહેતા લોકોના ઘરે પાણીની લાઈન તો પહોંચી છે પરંતુ પાણી પહોંચી શકયું નથી કે ખૂબ ધીમું અને ઓછું પાણી આવવાની સમસ્‍યા હોય આ જ વિસ્‍તારના ધર્મેશભાઈ મોદી દ્વારા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈને આ અંગેની રજૂઆત કરવામાં આવતા પારડી લક્ષ્મી ઉદ્યાન ખાતે 7.50 લાખ લીટરની 30 લાખના ખર્ચે ભૂગર્ભ પાણીની ટાંકી બની રહી છે જેને લઈ ટૂંક જ સમયમાં પૂર્વ અને પヘમિ વિભાગ અલગ કરી પヘમિ વિભાગમાં બની રહેલ આ ટાંકી દ્વારા પヘમિ વિભાગના લોકોને પાણી પહોંચાડવામાં આવતા છેલ્લા ઘણા સમયથી તેઓને વેઠવી પડતી પાણીની સમસ્‍યા દૂર થશે.

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

vartmanpravah

વાપીમાં ડેન્‍ગ્‍યુને અટકાવવા આરોગ્‍ય વિભાગની સઘન ઝુંબેશઃ 73 હજાર મકાનોમાં તપાસ કરાઈ

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

યુપીની 21 વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

Leave a Comment