March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરપાલિકા પશ્ચિમ વિભાગના લોકોને પડતી પાણીની સમસ્‍યા ટૂંક જ સમયમાં દૂર થશે

7.50 લાખ લિટરની 30 લાખના ખર્ચે ભૂગર્ભ પાણીની ટાંકી તથા 26 લાખના ખર્ચે પાણીની લાઈન નાખવાની થઈ શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડી નગરપાલિકાના પશ્ચિમ વિભાગમાં આવેલ અને વોર્ડ નંબર એકના કોલેજ પાછળ આવેલ નીલકંઠ સોસાયટી તથા બાલાખાડી સ્‍થિત નવજીવન સોસાયટી અને તેની પાછળ આવેલ આદિવાસી વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી પિવાના પાણીની સમસ્‍યા સતાવી રહી હતી.
વોર્ડ નંબર એકના સદસ્‍ય અને પારડી શહેર ભાજપ પ્રમુખ એવા રાજેશભાઈ પટેલ, ભાવનાબેન ભંડારી અને નયનાબેન પટેલે આ સમસ્‍યા અંગેની રજૂઆત પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈને કરવામાં આવતા તેઓએ આ પીવાના પાણીના પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્‍કાલિક પારડી નગરપાલિકાને આ સમસ્‍યા હલ કરવા જણાવતા આજરોજ આ બંને વિસ્‍તારો સહિત અન્‍ય વિસ્‍તારમાંપારડી નગરપાલિકા દ્વારા પાણી મળી રહે તે માટે 26 લાખના ખર્ચે પાણીની લાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પારડી નગરપાલિકા પヘમિ વિભાગમાં રહેતા લોકોના ઘરે પાણીની લાઈન તો પહોંચી છે પરંતુ પાણી પહોંચી શકયું નથી કે ખૂબ ધીમું અને ઓછું પાણી આવવાની સમસ્‍યા હોય આ જ વિસ્‍તારના ધર્મેશભાઈ મોદી દ્વારા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈને આ અંગેની રજૂઆત કરવામાં આવતા પારડી લક્ષ્મી ઉદ્યાન ખાતે 7.50 લાખ લીટરની 30 લાખના ખર્ચે ભૂગર્ભ પાણીની ટાંકી બની રહી છે જેને લઈ ટૂંક જ સમયમાં પૂર્વ અને પヘમિ વિભાગ અલગ કરી પヘમિ વિભાગમાં બની રહેલ આ ટાંકી દ્વારા પヘમિ વિભાગના લોકોને પાણી પહોંચાડવામાં આવતા છેલ્લા ઘણા સમયથી તેઓને વેઠવી પડતી પાણીની સમસ્‍યા દૂર થશે.

Related posts

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

vartmanpravah

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

vartmanpravah

નવનિર્મિત વરકુંડ ગ્રામ પંચાયતના મકાનને નિહાળી પ્રશાસકશ્રીએ પ્રગટ કરેલી પ્રસન્નતા: પંચાયતના અંદર લાઈબ્રેરી સહિતની વ્‍યવસ્‍થાથી પણ પ્રભાવિત

vartmanpravah

વ્‍યક્‍તિનું સાચું મૂલ્‍યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથી

vartmanpravah

Leave a Comment