January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદેશ

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.18
દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા દરમિયાન હિંદુ સમાજના રાણા જ્ઞાતિના વડીલનું અસામાજિક તત્‍વો દ્વારા કરવામાં આવેલ હુમલા દરમિયાન અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર તા.10 એપ્રિલ 2022, રામનવમીના રોજ સમગ્ર ભારતમાં પ્રભુશ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગુજરાતના ખંભાત ખાતે પણ રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ એ યાત્રા દરમિયાન અસામાજિક તત્‍વો દ્વારા હુમલો કરવામાં આવતા હિન્‍દૂ સમાજના રાણા જ્ઞાતિના વડીલ બંધુ સ્‍વ. કનૈયાલાલ રતિલાલ રાણા (57 વર્ષ) નું અકાળે અવસાન થયું હતું.
આ અંગે સમગ્ર હિન્‍દૂ સમાજમાં રોષનું વાતાવરણ વ્‍યાપી ગયું હતું, જે હેતુ શ્રી દમણ રાણા સમાજ દ્વારા આજરોજ દમણના પ્રશાસકશ્રીને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. આ સાથે શ્રી દક્ષિણ ઝોન રાણા સમાજ પણ જોડાયું હતું અમે એમના દ્વારા પણ પ્રશાસક શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. સાથે સાથે સરકારશ્રીને આવેદન પત્ર મારફત આવા તત્‍વો વિરુદ્ધ દંડાત્‍મક કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી દક્ષિણ ઝોન રાણા સમાજના પ્રમુખશ્રી શ્રી દીપકભાઈ રાણાતેમજ હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. દમણ રાણા સમાજ તરફથી પ્રમુખશ્રી શ્રી હર્ષદભાઈ રાણાની આગેવાનીમાં મોટી સંખ્‍યામાં યુવામિત્રો, પદાધિકારીઓ તેમજ સમાજના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

vartmanpravah

પારડીના ડુમલાવમાં કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક ખેડ સત્‍યાગ્રહ રેલી યોજાઈઃ મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો રેલીમાં ઉમટયા

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 1123 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા મોરખલમાં આરક્ષિત જંગલની જમીન પર કબ્‍જો કરનાર બે વ્‍યક્‍તિની કરાયેલી ધરપકડ

vartmanpravah

વાપી બલીઠામાં ટ્રાન્‍સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા

vartmanpravah

Leave a Comment