July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના વશીયર ગામે ગેરેજમાં બે ગાડીઓમાં અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

આગ લાગવાનું કારણ અકબંધ રહ્યુ છે, ઘટનામાં કોઈ જાનહાની થવા પામેલ નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડના વશીયર ગામે ગુરૂવારે સાંજના સમયે એક ગેરેજમાં બે અલગ કારામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ઘટનાને લઈ સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્‍થાનિકો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા તેમજ આગ બુઝાવાના પ્રયત્‍નો હાથ ધર્યા હતા.
વલસાડના વશીયરમાં કાર્યરત એક ગેરેજમાં ગતરોજ સાંજે ગેરેજમાં રહેલી બે કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ બહાર નથી આવ્‍યું પણ લોક ચર્ચા મુજબ રિપેરીંગ દરમિયાન સી.એન.જી. લીક થયો હોવો જોઈએ. જેથી આગ પકડી લીધી હતી. સાચું કારણ તો અકબંધ રહ્યું છે. આગને લઈને બન્ને કારોમાં ઓછુ વધતુ નુકશાન થયું હતું. જો કે આગને ઘટનામાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી. લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેતા રાહતનો શ્વાસ લીધો હતો. વાહનોમાં આગ ગમેતે સમયે લાગી શકે છે તેથી સેફટી અંગેના પગલા લેવા જોઈએ. આપણે ત્‍યાં ગેરેજોમાં સલામતિ અંગે કોઈ જાગૃતિ જોવા મળતી નથી તેથી ક્‍યારેક મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે.

Related posts

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે કંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રધાનમંત્રીના યશસ્‍વી જીવન માટે કરેલી પ્રાર્થના

vartmanpravah

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

પારડી શહેરમાં ગાંજાનો જથ્‍થો પહોંચાડનાર વોન્‍ટેડ આરોપીને ઝડપતી વલસાડ એસઓજી

vartmanpravah

દાનહઃ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દપાડામાં વાર્ષિકોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment