Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના વશીયર ગામે ગેરેજમાં બે ગાડીઓમાં અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

આગ લાગવાનું કારણ અકબંધ રહ્યુ છે, ઘટનામાં કોઈ જાનહાની થવા પામેલ નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડના વશીયર ગામે ગુરૂવારે સાંજના સમયે એક ગેરેજમાં બે અલગ કારામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ઘટનાને લઈ સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્‍થાનિકો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા તેમજ આગ બુઝાવાના પ્રયત્‍નો હાથ ધર્યા હતા.
વલસાડના વશીયરમાં કાર્યરત એક ગેરેજમાં ગતરોજ સાંજે ગેરેજમાં રહેલી બે કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ બહાર નથી આવ્‍યું પણ લોક ચર્ચા મુજબ રિપેરીંગ દરમિયાન સી.એન.જી. લીક થયો હોવો જોઈએ. જેથી આગ પકડી લીધી હતી. સાચું કારણ તો અકબંધ રહ્યું છે. આગને લઈને બન્ને કારોમાં ઓછુ વધતુ નુકશાન થયું હતું. જો કે આગને ઘટનામાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી. લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેતા રાહતનો શ્વાસ લીધો હતો. વાહનોમાં આગ ગમેતે સમયે લાગી શકે છે તેથી સેફટી અંગેના પગલા લેવા જોઈએ. આપણે ત્‍યાં ગેરેજોમાં સલામતિ અંગે કોઈ જાગૃતિ જોવા મળતી નથી તેથી ક્‍યારેક મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે.

Related posts

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 70 મહિના પૂર્ણઃ સંઘપ્રદેશના આવેલા સારા દિવસો

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિચર્સ ઈન્‍સ્‍ટિટયૂટના નર્સિંગ કોલેજની કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ પરથી ચોરી કરનાર ચાર આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment