August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના વશીયર ગામે ગેરેજમાં બે ગાડીઓમાં અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

આગ લાગવાનું કારણ અકબંધ રહ્યુ છે, ઘટનામાં કોઈ જાનહાની થવા પામેલ નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડના વશીયર ગામે ગુરૂવારે સાંજના સમયે એક ગેરેજમાં બે અલગ કારામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ઘટનાને લઈ સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્‍થાનિકો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા તેમજ આગ બુઝાવાના પ્રયત્‍નો હાથ ધર્યા હતા.
વલસાડના વશીયરમાં કાર્યરત એક ગેરેજમાં ગતરોજ સાંજે ગેરેજમાં રહેલી બે કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ બહાર નથી આવ્‍યું પણ લોક ચર્ચા મુજબ રિપેરીંગ દરમિયાન સી.એન.જી. લીક થયો હોવો જોઈએ. જેથી આગ પકડી લીધી હતી. સાચું કારણ તો અકબંધ રહ્યું છે. આગને લઈને બન્ને કારોમાં ઓછુ વધતુ નુકશાન થયું હતું. જો કે આગને ઘટનામાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી. લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેતા રાહતનો શ્વાસ લીધો હતો. વાહનોમાં આગ ગમેતે સમયે લાગી શકે છે તેથી સેફટી અંગેના પગલા લેવા જોઈએ. આપણે ત્‍યાં ગેરેજોમાં સલામતિ અંગે કોઈ જાગૃતિ જોવા મળતી નથી તેથી ક્‍યારેક મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે.

Related posts

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પોતાની તમામ શક્‍તિનો ઉપયોગ કરી દાનહને આકર્ષક અદ્યતન અને શ્રેષ્‍ઠ આદર્શ જિલ્લો બનાવવા પ્રશાસન મક્કમ

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

vartmanpravah

સરોધીમાં બાઈક ચાલક પર દીપડાનો હુમલો: બાઈક ચાલક અને ભત્રીજી ઘાયલ, બે નો બચાવ

vartmanpravah

Leave a Comment