Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહના રખોલી સ્‍થિત આર.આર.કેબલ લિ. કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

સેલવાસ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન, લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ, લિયો ક્‍લબ અને ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજીત રક્‍તદાન શિબિરમાં 175 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : સંઘપ્રદેશ દાનહમાં હજારોની સંખ્‍યામાં નાના-મોટા અનેક ઉદ્યોગો આવેલા છે. જેમાં છાશવારે વિવિધપ્રકારે અકસ્‍માતો સર્જાતા હોય છે, જેમાં કેટલીક વખત પીડિતોને રક્‍તની પણ જરૂરિયાત પડતી હોય છે. જેને પહોંચી વળવા ક્‍યારેક ક્‍યારેક કંપનીઓના સહયોગ દ્વારા રક્‍તદાન શિબિરોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેની કડીમાં આજે રખોલી ખાતે આવેલ આર.આર.ગ્‍લોબલ ગ્રુપની આર.આર.કેબલ લિમિટેડ કંપની દ્વારા સેલવાસ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન, લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ, લિયો ક્‍લબ અને ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી 17મા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રક્‍તદાન શિબિરનું આયોજન કંપની પરિસરમાં આવેલ હનુમાનજી મંદિરના સભાગૃહમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓ, કામદારો સહિતના રક્‍તદાતાઓએ સહયોગ આપી પોતાના બહુમૂલ્‍ય રક્‍તનું ઉત્‍સાહભેર દાન કર્યું હતું.
પ્રારંભમાં રક્‍તદાન શિબિરનો શુભારંભ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્‍યો હતો. આ શિબિરમાં 175 યુનિટ જેટલું રક્‍ત એકત્ર થયું હતું. અત્રે આયોજીત શિબિરમાં મહિલાઓએ પણ રક્‍તદાન કર્યું હતું. આ શિબિરમાં કંપનીના ડાયરેક્‍ટર શ્રી સતીશ અગ્રવાલ, જીએમ શ્રી સુરેશ અસાવા, મામાજી, એડમીન મેનેજર શ્રી ગિરીશ પાંડા સહિત દરેક વિભાગના એચ.ઓ.ડી. અને દાનહમાં સ્‍થિત આર.આર.ગ્‍લોબલ ગ્રુપના દરેક ચાર યુનિટનાકામદારોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ અવસરે કંપનીના સંચાલકો, કર્મચારીઓ, રેડ કોર્સ સોસાયટીના સભ્‍યો અને લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજીના વડાપ્રધાન સિટીવેની રાબુકાજી અને નાયબ વડાપ્રધાન બિમન પ્રસાદે કરેલું ઉમળકાભેર ભાવભીનું અભિવાદન

vartmanpravah

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

vartmanpravah

Leave a Comment