July 26, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકો માટે મૂલ્‍યાંકન શિબિરનો પ્રારંભ

જરૂરિયાતમંદ નાગરિકોને સ્‍થળ પર જ નિષ્‍ણાંત ટેક્‍નીશિયન ટીમ દ્વારા તેમનું મૂલ્‍યાંકન કરી આવશ્‍યકતા મુજબ વ્‍હીલચેર કોણીકચ, ડિજિટલ હિયરીંગ એડ્‍સ, ત્રિપાઈ ટેટ્રાપોડ કૃત્રિમ દાન, ચશ્‍મા, કમોડ સાથે વ્‍હીલચેર, કમોડ સાથે ખુરશી સ્‍ટૂલ, કમોડ સાથે સ્‍પાઈનલ ચેર, સર્વિકલ કોલર વગેરે ઉપકરણો માટે સૂચિત કરવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 27
સમાજ કલ્‍યાણ વિભાગ દમણ, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ(એલીમ્‍કા) વિકાસ ઘટક કાર્યાલય અને આરોગ્‍ય વિભાગ દમણના સંયુક્‍ત ઉપક્રમે આવતી કાલ તા.28મી સપ્‍ટેમ્‍બરના મંગળવાર અને તા.29મીના બુધવારના બે દિવસ માટે કલેક્‍ટર કચેરીની પાછળ આદિવાસી ભવન, મોટી દમણ ખાતે દમણ જિલ્લાના વરિષ્‍ઠ નાગરિકો માટે ‘રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના’ હેઠળ મૂલ્‍યાંકન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ મૂલ્‍યાંકન કેમ્‍પમાં નિષ્‍ણાંતો દ્વારા જરૂરિયાતમંદ વરિષ્‍ઠ નાગરિકોને સ્‍થળ પર જ નિષ્‍ણાંત ટેક્‍નીશિયન ટીમ દ્વારા તેમનું મૂલ્‍યાંકન કરી આવશ્‍યકતા મુજબ વ્‍હીલચેર કોણીકચ, ડિજિટલ હિયરીંગ એડ્‍સ, ત્રિપાઈ ટેટ્રાપોડ કૃત્રિમ દાન, ચશ્‍મા, કમોડ સાથે વ્‍હીલચેર, કમોડ સાથે ખુરશી સ્‍ટૂલ, કમોડ સાથે સ્‍પાઈનલ ચેર,સર્વિકલ કોલર વગેરે ઉપકરણો માટે સૂચિત કરવામાં આવશે અને તેમને જરૂરિયાત મુજબ ઉપકરણો વિનામૂલ્‍યે મળે એવી વ્‍યવસ્‍થા કરવામાં આવશે.
બે દિવસીય મૂલ્‍યાંકન કેમ્‍પમાં વરિષ્‍ઠ નાગરિકોને આવકના દાખલા અથવા આધારકાર્ડ પણ સ્‍થળ ઉપર જ આપવામાં આવનાર હોવાનું સમાજ કલ્‍યાણ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

vartmanpravah

ચીખલીના ફડવેલમાં કેબલ વાયર રિપેરીંગ સમયે વીજ કંપનીના રાનકુવા સબ ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ લાઈનમેનને કરંટ લાગતા મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નવમા વર્ષના નૂતન કાર્યકાળના આરંભ સાથે હવે દાનહ અને દમણ-દીવ તમામ સમસ્‍યાઓથી મુક્‍ત થવા તરફઃ સમગ્ર દેશ માટે મોડેલ પ્રદેશ બનશે

vartmanpravah

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

Leave a Comment