April 19, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી તાલુકાના પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં આરોગ્‍ય વિભાગની 13 જેટલી ટીમો દ્વારા લોકોની તપાસ કરી અપાઈ રહેલી સારવાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ચીખલી તાલુકામાં ગુરુવારના રોજ અતિભારે વરસાદ વચ્‍ચે કાવેરી, ખરેરા, અંબિકા સહિતની લોકમાતાઓમાં આવેલ પૂરે ભારે તારાજી સર્જી હતી. તંત્ર દ્વારા હાલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે છે. ત્‍યારે આ દરમ્‍યાન પૂરગ્રસ્‍ત ગામોમાં કોઈ રોગચાળો ન ફેલાઈ તે માટે આરોગ્‍ય વિભાગ દ્વારા પણ કમર કસવામાં આવીછે.
ચીખલી તાલુકાના સાદકપોર, આલીપોર, હોન્‍ડ, દેગામ, કુકેરી, ધેજ સહિતના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના તાબામાં આવતા અસરગ્રસ્‍ત ગામોમાં અન્‍ય જિલ્લાની સાત સહિત 13 જેટલી ટિમો દ્વારા લોકોના ઘરે ઘરે જઈને સ્‍થળ પર જ ઓપીડી ચલાવી આરોગ્‍યની તપાસણી કરી સારવાર આપવામાં આવી રહી છે. સાથે ક્‍લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરી જરૂર જણાય ત્‍યાં ચુનાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. અને તકેદારીના તમામ પગલાં આરોગ્‍ય વિભાગ દ્વારા લેવાઈ રહ્યા છે.
સાદકપોરના ગોલવાડ વિસ્‍તારમાં આજે તાપી જિલ્લાની આરોગ્‍યની ટીમની ઓપીડીની કામગીરીની એડીએચઓ ડો.મયંકભાઈ ચૌધરી, આરસીએચઓ ડો.રાજેશ પટેલ, ટીએચઓ ડો.એ.બી. સોનવણે ઉપરાંત ડો.કેતન પટેલ, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ, સુપરવાઈઝર વિજય પટેલ સહિતનાઓએ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ડીડીઓ અર્પિત સાગર દ્વારા પણ અસરગ્રસ્‍ત પીએચસીઓની મુલાકત લેવામાં આવી રહી છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર ઈકો કાર પલટી જતા ભિષણ આગ લાગી : ભડ ભડ આગમાં કાર બળીને ખાખ

vartmanpravah

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

vartmanpravah

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

vartmanpravah

Leave a Comment