બેંક કર્મચારીઓને થ્ખ્ત્ત્ગ્ અને ઝગ્જ્ પરીક્ષા પાસ કરવા સક્ષમ બનાવવા તાલીમ શિબિરનું આયોજન કરાયું : દીવમાં પણ ટૂંક સમયમાં આયોજિત કરવામાં આવશે
સરકારી કોલેજના વિદ્યાર્થીઓ પણ તાલીમ શિબિરમાં જોડાયા – ધ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના સંચાલક કરણજીત વડોદરાએ કેમ્પનું ઉદ્ઘાટન કરી આપેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની એકમાત્ર સહકારી બેંક દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ હવે તેના કર્મચારીઓને સેવાની સાથે સાથે તાલીમ આપવાની દિશા તરફ આગળ વધી રહી છે. ધ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા થ્ખ્ત્ત્ગ્ અને ઝગ્જ્ પરીક્ષા માટે તેમના કર્મચારીઓને તૈયાર કરવા માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરતી વખતે બેંકના સંચાલક શ્રી કરણજીત વડોદરાએ કર્મચારીઓને માર્ગદર્શનપણ આપ્યું હતું. શ્રી કરણજીત વડોદરાયાએ ધ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના કર્મચારીઓની પણ પ્રશંસા કરી હતી. આ તાલીમ શિબિરમાં સરકારી કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા. જેથી યુવાનોને બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. દીવમાં પણ એક સપ્તાહ બાદ આજ પ્રકારના તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અત્રે યાદ રહે કે, જૂન ર0ર0માં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ધ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના હજારો શેરહોલ્ડરો અને થાપણદારોની ચિંતા કરી બેંકનું સંચાલન સરકારના હાથમાં લઈ લીધુ હતું. તેમણે બેંકના સંચાલક તરીકે શ્રી કરણજીત વડોદરાયાની નિમણૂક કરી, તેમને હજારો શેરધારકો અને થાપણદારોના હિતની જવાબદારી સોંપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી કરણજીત વડોદરાએ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી ધ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિ.ને કરોડોના નફો જ નથી કરાવ્યો પરંતુ 20 થી 25 વર્ષ જૂની લોન વસૂલ કરીને, બેંકની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવી દીધી છે. હવે બેંકના કર્મચારીઓને ભવિષ્યમાં પ્રમોશન અને અન્ય લાભો માટે થ્ખ્ત્ત્ગ્ અને ઝગ્જ્ પરીક્ષા માટે તૈયાર કરવા તાલીમશિબિરો યોજીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.